નવી દિલ્હીઃ ભારતમાં પાનનું સેવન મોટા પ્રમાણમાં થાય છે. કેટલીક જગ્યાએ લગ્નમાં પાન ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા અને પાઠ જેવા શુભ કાર્યોમાં પણ પાનનો ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ પાન ખાવું એ પરંપરાનો એક ભાગ છે. ત્યાં ઘરે આવતા લોકોને ભોજન પછી પાન પીરસવામાં આવે છે. જેને ખાવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું માનવામાં આવે છે.
પરિણીત પુરુષોની વધારે છે યૌન શક્તિ
બહુ ઓછા લોકો જાણતા હશે કે પાન ખાવાથી પુરુષોની યૌન શક્તિ વધારવામાં મદદ મળે છે. જોકે પાન પાંદડામાં એન્ટિ-ડાયાબિટીક, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-સેપ્ટિક અને દુર્ગંધ દૂર કરવાના ગુણધર્મો હોય છે. તેથી પાનને ખાવાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર પણ વધે છે. જેના કારણે પુરુષોમાં કામેચ્છા વધે છે. આનાથી પુરૂષોમાં યૌન શક્તિ ખૂબ વધી જાય છે. એટલા માટે પરિણીત પુરુષોને રાત્રે સૂતા પહેલા તેને ખાવાની સલાહ આપવામાં આવે છે.
લાઇટ બિલ પણ અડધા કરતાં ઓછું આવશે! લાઇટ ન હોવાછતાં કલાકો સુધી ઘર જગમગાવશે આ LED Bulb
પાચનતંત્રને રાખે છે સ્વસ્થ
પાન ખાવાના બીજા પણ ઘણા ફાયદા છે. જમ્યા પછી પાન ખાવાથી આપણી પાચનક્રિયા યોગ્ય રહે છે. આ શરીરને ખોરાકને પચાવવામાં મદદ કરે છે. જમ્યા પછી પાનનું એક પત્તું ખાવાથી ખાવાથી પેટમાં દુખાવો, ગેસ અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓથી રાહત મળે છે. એટલા માટે જ દેશના ઘણા ભાગોમાં જમ્યા પછી પાન ખાવું રિવાજોનો એક ભાગ બની ગયું છે.
ઘાના જલદી ભરવામાં કરે છે મદદ
પાનના પત્તાનો ઉપયોગ ઘાને ઝડપથી રૂઝાવવા માટે પણ થાય છે. જોકે પાનના પત્તામાં એન્ટીઑકિસડન્ટ તત્વ હોય છે, જે ઘાને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે. જો તમને ક્યારેય ઇજા થાય તો પાનના પત્તાનો રસ કાઢીને ઘા પર લગાવો અને પછી તેને પાનના પત્તાથી ઢાંકીને પાટો બાંધી દો. થોડા સમય પછી ઘા રૂઝાવા લાગશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે