ઈન્દોરઃ 'દીકરી જીવિત છે, તે ચોક્કસ પાછી આવશે'... આ પંડિતજીનો દાવો હતો, જેમના શબ્દો પર ઇન્દોરના એક તૂટેલા પરિવારે છેલ્લી આશાનો દોર પકડી રાખ્યો હતો. તેમણે સલાહ આપી - દીકરીનો ફોટો ઘરના દરવાજા પર ઊંધો લટકાવી દો, તે સુરક્ષિત પાછી આવશે. હવે તે પાછી આવી ગઈ છે પણ તેના જીવિત પાછી ફરવા કરતાં તેના કારનામાની ચર્ચા વધુ થઈ રહી છે. એવો આરોપ છે કે તે બીજા કોઈના પ્રેમમાં હતી. તેણે હનીમૂન પર તેના પતિની હત્યા કરી દીધી હતી. ત્યારથી તે ગુમ હતી.
ઘટનાની ટાઇમલાઇન
- 11 મેના રોજ, ઇન્દોરના કેટ રોડના રહેવાસી રાજા રઘુવંશી અને ગોવિંદ કોલોનીની સોનમના લગ્ન હિન્દુ વિધિ મુજબ થયા.
- 20 મેના રોજ, આ દંપતી હનીમૂન માટે મેઘાલયના શિલોંગ જવા રવાના થયું.
- 22 મેના રોજ, બંને શિલોંગના માવલાખિયાત ગામ પહોંચ્યા અને શિપ્રા હોમસ્ટેમાં રોકાયા.
- 23 મેના રોજ, બંનેએ સવારે હોટેલમાંથી ચેક આઉટ કર્યો અને ત્યારબાદ, તેમનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો.
- 24 મેના રોજ, તેમની સ્કૂટી ૨૫ કિમી દૂર પાર્કિંગમાં ત્યજી દેવાયેલી મળી આવી.
- 28 મેના રોજ, જંગલમાં બે બેગ મળી આવી, જેની ઓળખ રાજા અને સોનમના પરિવાર દ્વારા કરવામાં આવી.
- 2 જૂનના રોજ, રાજાનો મૃતદેહ વિજાડોંગ ધોધ નજીક એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો, જેનાથી સ્પષ્ટ થયું કે આ હવે ગુમ થવાનો કેસ નથી પણ હત્યાનો છે.
- 9 જૂનના રોજ સોનમ જીવતી મળી આવી.
જીવિત મળી સોનમ
9 જૂનની સવારે, સોનમ યુપીના ગાઝીપુર જિલ્લાના નંદગંજ વિસ્તારમાં એક ઢાબા પર પહોંચી. તેણે ઢાબા માલિક પાસેથી ફોન માંગ્યો અને તેના ભાઈને વીડિયો કોલ કર્યો. સોનમે તેને કહ્યું કે તે ગાઝીપુરમાં છે. ભાઈએ તરત જ ઇન્દોર પોલીસને જાણ કરી અને ઇન્દોર પોલીસે ગાઝીપુર પોલીસનો સંપર્ક કર્યો. 112 પર ફોન કર્યા પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સોનમને મહિલા સુરક્ષા હેઠળ વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી.
હવે શંકાના ઘેરામાં સોનમ
સોનમ મળી આવ્યા બાદ પોલીસની તપાસને નવી દિશા મળી છે. શરૂઆતી ઇનપુટ અનુસાર સોનમનો એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. શંકા છે કે આ કારણે તેણે રાજાની હત્યા કરી છે. શિલોંગ પોલીસ અનુસાર અત્યાર સુધી આ કેસમાં ચાર લોકોની ધરપકડ થઈ છે, જેમાંથી ત્રણ આરોપી ઈન્દોરથી અને એક સોનમની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. એક અન્ય આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ ટીવી જોવાની આ રીત તમને જેલમાં નાખી શકે છે, કન્ટેન્ટના કાળાબજારનો પર્દાફાશ
પંડિત જીએ કહ્યુ હતું- જીવિત પરત ફરશે
જ્યારે સોનમ ગુમ થઈ ગઈ અને રાજાનો મૃતદેહ મળી આવ્યો, ત્યારે પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો. આવી સ્થિતિમાં, એક પરિચિતની સલાહ પર, એક અનુભવી પંડિતનો સંપર્ક કરવામાં આવ્યો. પૂજા અને જ્યોતિષ ગણતરીઓ કર્યા પછી, પંડિતે કહ્યું - પુત્રી જીવિત છે. સમય લાગશે પણ તે સુરક્ષિત રીતે પાછી આવશે. પંડિતની સલાહ પર, પરિવારે ઇન્દોરમાં તેમના ઘરના મુખ્ય દરવાજા પર સોનમનો ફોટો ઊંધો લટકાવી દીધો. આ એક પરંપરાગત ઉપાય છે, જેમાં એવું માનવામાં આવે છે કે આ પદ્ધતિ ગુમ થયેલ વ્યક્તિના સુરક્ષિત પરત આવવા માટે અસરકારક છે. અને આજે જ્યારે સોનમ ગાઝીપુરમાં સુરક્ષિત મળી આવી, ત્યારે પંડિતજીની આગાહી આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ. લોકો કહેવા લાગ્યા - પંડિતજીએ ખરેખર પહેલા કહ્યું હતું કે પુત્રી પાછી આવશે... અને તે પાછી આવી.
સોનમના પિતાએ કહ્યું- મારી દીકરી નિર્દોષ છે
રાજાની હત્યાની શંકા હવે સોનમ પર છે, ત્યારે તેના પિતાએ કહ્યું કે મારી દીકરી નિર્દોષ છે. મેઘાલય પોલીસ કહાની બનાવી રહી છે. સીબીઆઈ તપાસ થવી જોઈએ. તેમણે ત્યાં સુધી કહ્યું કે જો ખરેખર તપાસ થઈ તો આખું પોલીસ સ્ટેશન જેલમાં જશે. હું તેનો પીછો છોડીશ નહીં.
CCTV અને મોબાઇલ ડેટા બન્યો પોલીસ પૂરાવો
શિલોંગ પોલીસે 22 મેએ એક સીસીટીવી ફુટેજ જારી કર્યાં હતા, જેમાં સાજા અને સોનમ સ્કૂટીથી હોટલથી બહાર આવતા જોવા મળી રહ્યાં છે. તો પોસ્ટમોર્ટમ અને ઘટનાસ્થળથી મળેલ કપડા, ટેટૂ અને મોબાઇલ સ્ક્રીને રાજાની ઓળખની પુષ્ટિ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે