સંસદીય મામલાઓના મંત્રી કિરેન રિજિજૂએ આજે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કર્યું. જેવું બિલ લોકસભામાં રજૂ કર્યું કે વિપક્ષે આપત્તિ જતાવવા માંડી. જેના પર ગૃહમંત્રી અમિત શાહે ઊભા થઈને કહ્યું કે કોંગ્રેસની કમિટીઓ બસ થપ્પો લગાવતી હતી. હવે સદનમાં બિલ પર ચર્ચા ચાલુ છે. વક્ફ બિલ રજૂ થવાથી એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનમાં બેઠકોનો સિલસિલો થયો. એક બાજુ ઈન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષોની બેઠક થઈ. જ્યારે બીજી બાજુ એનડીએની પણ બેઠક થઈ. આ બધા વચ્ચે પીએમ મોદી પણ સંસદ ભવન પહોંચ્યા.
શું કહ્યું કેન્દ્રીય મંત્રીએ
લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કર્યા બાદ સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે હું એ કહેવા માંગુ છું કે બંને સદનોની સંયુક્ત સમિતિમાં વક્ફ સંશોધન બિલ પર જે ચર્ચા થઈ છે તે ભારતના સંસદીય ઈતિહાસમાં આજ સુધી ક્યારેય થઈ નથી. હું સંયુક્ત સમિતિના તમામ સભ્યોનો આભાર માનુ છું અને શુભેચ્છા પાઠવું છું. અત્યાર સુધીમાં વિવિધ સમુદાયોના રાજ્ય ધારકોના કુલ 284 પ્રતિનિધિમંડળોએ સમિતિ સમક્ષ પોતાના વિચાર અને સૂચનો રજૂ કર્યા. 25 રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વક્ફ બોર્ડોએ પણ પોતાની રજૂઆત કરી છે.
તેમણે એમ પણ કહ્યું કે મને માત્ર આશા નહીં પરંતુ પૂરેપૂરો વિશ્વાસ છે કે આ બિલનો વિરોધ કરનારાઓના દિલમાં પણ બદલાવ આવશે. દરેક સકારાત્મક દ્રષ્ટિકોણની સાથે આ બિલનું સમર્થન કરશે. હું મારા મનની વાત કરવા માંગુ છું. કિસી કી બાત કોઈ બદ-ગુમા ન સમજેગા, ઝમીન કા દર્દ કભી આસમાન નહી સમજેગા...
#WATCH | After introducing the Waqf Amendment Bill in Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says "...Kisi ki baat koi bad-guma na samjhega. Zameen ka dard kabhi aasamaan nahi samjhega...I not only hope, but I am sure that those who oppose this bill will also have… pic.twitter.com/MP9OuzHkAq
— ANI (@ANI) April 2, 2025
સંશોધન ન લાવવામાં આવ્યું હોત તો આ સંસદ ભવન પણ વક્ફની પ્રોપર્ટી હોત-રિજિજૂ
કિરેન રિજિજૂએ કહ્યું કે 203માં દિલ્હી વક્ફ બોર્ડે પાર્લિયામેન્ટનું જે બિલ્ડિંગ છે તેને પણ વક્ફ પ્રોપર્ટી જાહેર કરી હતી. યુપીએની સરકારે તેને ડિનોટિફાઈ પણ કર્યું. જો નરેન્દ્ર મોદીજીની સરકાર ન હોત, અમે સંશોધન ન લાવ્યા હોત તો જે જગ્યાએ આપણે બેઠા છીએ તે પણ વક્ફની સંપત્તિ હોત. યુપીએ સરકાર હોત તો ખબર નહીં કેટલી સંપત્તિઓ ડિનોટિફાઈ થઈ હોત. હું કઈ પણ મારા મનથી નથી બોલતો. આ બધુ રેકોર્ડની વાત છે. કિરેન રિજિજૂની આ વાત પર વિપક્ષે હંગામો મચાવવાનો શરૂ કર્યો. વિપક્ષના જોરદાર હંગામા પર કિરેન રિજિજૂએ કહ્યું કે જો તર્ક નથી તો આ પ્રકારનો હંગામો કરવો યોગ્ય નથી. સ્પીકરે કહ્યું કે તમારો વારો આવશે તો તમારી વાત રજૂ કરજો.
#WATCH | After introducing the Waqf Amendment Bill in Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says "A case ongoing since 1970 in Delhi involved several properties, including the CGO Complex and the Parliament building. The Delhi Waqf Board had claimed these as Waqf… pic.twitter.com/qVXtDo2gK7
— ANI (@ANI) April 2, 2025
શું કહ્યું અમિત શાહે
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો છે. ભારત સરકારની કેબિનેટે એક બિલ અપ્રુવ કરીને સદન સામે રજૂ કર્યું. સદન તરફથી આ બિલ જેપીસીને મોકલવામાં આવ્યું. કમિટીએ પોતાનો મત રજૂ કર્યો. આ મત ફરીથી કેબિનેટ પાસે આવ્યો. કમિટીના સૂચન કેબિનેટે સ્વીકારી લીધા અને સંશોધન તરીકે કિરેન રિજિજૂ લઈને આવ્યા છે. જો આ કેબિનેટના અપ્રુવલ વગર આવત તો પોઈન્ટ ઓફ ઓર્ડર રેઈઝ કરી શકતા હતા. આ ક્રોંગ્રેસના જમાના જેવી કમિટી નથી. અમારી કમિટીઓ દિમાગ ચલાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે