નવી દિલ્હી : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આ દિવસે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાની અપીલ કરવામાં આવે છે. લોકો બને એટલો ઓછો પ્લાસ્ટિક બેગ, બોટલ્સ અને બીજા સામાનનો ઉપયોગ કરે એ માટે જાગૃતિ આવે એવા પ્રયાસ હાથ ધરવામાં આવે છે. આ સંજોગોમાં કેન્દ્રિય મંત્રી અને બીજેપી નેતા ડો. મહેશ શર્માએ પ્લાસ્ટિકનો જરૂરિયાતની વસ્તુ ગણાવી છે.
ગર્લફ્રેન્ડને માર મારવાના મામલે અરમાન કોહલી સામે પોલીસ ફરિયાદ
ન્યૂઝ એજન્સી એેએનઆઇ સાથે વાતચીત કરતી વખતે મહેશ શર્માએ કહ્યું છે કે પ્લાસ્ટિક આપણી જરૂરિયાત પણ એ કોઈ શ્રાપ નથી. આપણે દુનિયામાંથી રિસાયકલ ન થઈ શકે એવા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવાનો છે કારણ કે પર્યાવરણ અને માં પ્રકૃતિની જવાબદારી પણ આપણી જ છે
Plastic is a necessity for us, but it shouldn't become a curse. We have to abolish the use of single-use plastic in the world. We have a responsibility towards environment and mother nature: Dr Mahesh Sharma, Union Minister of State for Environment #WorldEnvironmentDay pic.twitter.com/ddEzwsYGEF
— ANI (@ANI) June 5, 2018
5 જૂનની ઉજવણી વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કરવામા આવે છે. આ ઉજવણીનો હેતુ લોકોમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો છે. આ દિવસે આખી દુનિયામાં જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે જેથી મનુષ્યો તેમજ જીવ-જંતુઓને વધારે સ્વચ્છ વાતાવરણ મળે.
પ્લાસ્ટિક પ્રદૂષણ સાથે જોડાયેલા તથ્યો
દેશના બીજા સમાચાર જાણવા કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે