અયોધ્યા: નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રામ જન્મભૂમિ અને હનુમાનગઢી જઈને દર્શન કરનારા દેશના પહેલા પ્રધાનમંત્રી છે. આ જાણકારી ઉત્તર પ્રદેશ સરકાર તરફથી બુધવારે અપાયેલા નિવેદનમાં જાહેર કરાઈ.
પીએમ મોદીએ બુધવારે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું અને આ અગાઉ તેમણે હનુમાનગઢી મંદિર જઈને પૂજા અર્ચના કરી.
નિવેદનમાં કહેવાયું કે પીએમ મોદી હનુમાનગઢી આવનારા પહેલા પ્રધાનમંત્રી છે. શ્રીરામ જન્મભૂમિ આવનારા તેઓ પહેલા પ્રધાનમંત્રી બન્યા છે. નિવેદન મુજબ મંદિરના ભવ્ય શુભારંભમાં સામેલ થવાનું સૌભાગ્ય પણ પીએમ મોદીને મળ્યું.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે