નવી દિલ્હી: દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા 3.49 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા. આ દરમિયાન હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દવાઓ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ ઓક્સિજનની સમસ્યા પર મોટો નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ દેશમાં 551 નવા ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે. આ માટે પીએમ કેયર્સ ફંડમાંથી ગ્રાન્ટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ ઓક્સિજન પ્લાન્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્લાન્ટ સરકારી હોસ્પિટલોની અંદર લગાવવામાં આવશે. પીએમ મોદી આ પ્લાન્ટને જેમ બને તેમ જલદી કાર્યરત કરવાના આદેશ આપ્યા છે. આ કાર્ય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરાશે.
In line with PM’s direction of boosting availability of oxygen to hospitals, PM CARES Fund has given in-principle approval for allocation of funds for installation of 551 dedicated Pressure Swing Adsorption Medical Oxygen Generation Plants inside public health facilities: PMO pic.twitter.com/CoaZnw4LbO
— ANI (@ANI) April 25, 2021
એક જ દિવસમાં નવા 3.49 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 3,49,691 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,69,60,172 પર પહોંચ્યો છે. જેમાંથી 1,40,85,110 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 26,82,751 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 2767 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,92,311 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 14,09,16,417 લોકોને રસી આપવામાં આવી છે.
Mann ki Baat: ધૈર્ય, કષ્ટ સહન કરવાની મર્યાદાની પરીક્ષા લઈ રહ્યો છે કોરોના-PM મોદી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે