Home> India
Advertisement
Prev
Next

5 મહિનાની બાળકીનો જીવ બચાવવા PM મોદીએ માફ કર્યો 6 કરોડનો ટેક્સ, જાણો કેમ

તીરાના વાલીની અપીલ પર મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને સંબોધિત કરતા કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. ફડણવીસે કેન્દરને ઇમ્પોર્ટ ડ્યૂટી અને જીએસટી માફ કરવાનું કહ્યુ. કેન્દ્ર સરકારે આ વિનંતી સ્વીકારી લીધી અને છ કરોડનો ટેક્સ માફ કરી દીધો.
 

 5 મહિનાની બાળકીનો જીવ બચાવવા PM મોદીએ માફ કર્યો 6 કરોડનો ટેક્સ, જાણો કેમ

મુંબઈઃ પાંચ મહિનાની તીરા કામત (teera kamat) નો મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેના માતા-પિતા પ્રિયંકા કામત અને મિહિર કામત અનુસાર, તેમની પુત્રીને સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી (SMA) નામની બીમારી છે. આ બીમારી એવી છે જેની સારવાર Zolgensma નામના એક ખાસ ઇન્જેક્શનથી જ સંભવ છે. તેને અમેરિકાથી મંગાવવું પડે છે અને તેની સારવારનો ખર્ચ આશરે 16 કરોડ રૂપિયા થાય છે. તે પણ ટેક્સ વગર. તેમાં ઇમ્પોર્ટ ડ્યૂટી અને ટેક્સ જોડવામાં આવે તો કિંમત 22 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે. કોઈ મધ્યમવર્ગીય પરિવાર માટે આ બીમારીની સારવાર કરાવવી સંભવ નથી. તેવામાં મિહિર અને પ્રિયંકાએ ક્રાઉડફન્ડિંગ દ્વારા આ રકમ ભેગી કરવાનું વિચાર્યું. ANI પ્રમાણે તેમણે આશરે 15 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે. 

fallbacks

કરોડોની દવા પર લાગે છે 35% ટેક્સ
મિહિર અને પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર અપીલમાં લખ્યુ કે દવાઓ પર 23 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી અને 12 ટકા જીએસટી લાગે છે જેથી સારવારનો ખર્ચ વધુ વધી જાય છે. તેમણે કહ્યું કે, દવાને ભારત લાવવામાં ઘણું પેપરવર્ક કરવું પડે છે જેમાં આશરે એક મહિનાનો સમય લાગે છે. આ બધા વચ્ચે તીરા જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહી છે.

માતા-પિતાએ જાન્યુઆરીમાં કરી હતી અપીલ

પીએમઓએ સાંભળી ટેક્સ માફ કરવાની વિનંતી
તીરાના વાલીની અપીલ પર મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને સંબોધિત કરતા કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. ફડણવીસે કેન્દરને ઇમ્પોર્ટ ડ્યૂટી અને જીએસટી માફ કરવાનું કહ્યુ. કેન્દ્ર સરકારે આ વિનંતી સ્વીકારી લીધી અને છ કરોડનો ટેક્સ માફ કરી દીધો. ફડણવીસે મંગળવારે પ્રધાનમંત્રી કાર્યાલયને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો છે. 

ફડણવીસે ટ્વિટર પર શેર કર્યો તે પત્ર

તીરાને છે ખુબ ગંભીર બીમારી SMA
સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી એવી બીમારી છે અનુવાંશિક હોય છે. તેમાં ધીમે-ધીમે મોટર ન્યૂરાન્સ ખતમ થવા લાગે છે. એટલે કે માંસપેશિઓની ગતિવિધિઓ પર તમારો કંટ્રોલ રહેતો નથી. ધીમે-ધીમે શરીરની હરકત બંધ થઈ જાય છે. તેનો સંપૂર્ણ રીતે ઇલાજ સંભવ નથી. 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે Zolgensma જીન થેરેપીનો ઉપયોગ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More