નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ડિટેન્શન સેન્ટરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પર ગંભીર આરોપ લગાવ્યો. તેમણે પીએમ મોદી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. પીએમ મોદીએ હાલમાં જ દિલ્હીના રામલીલા મેદાનમાં થયેલી રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસ ડિટેન્શન સેન્ટરને લઈને ખરાબ દાનતથી જુઠ્ઠાણું ફેલાવી રહી છે. વડાપ્રધાનના તે નિવેદન પર પલટવાર કરતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે તેઓ ખોટું બોલી રહ્યાં છે.
CAA વિરોધ: યુનિવર્સિટી કેમ્પસમાં હિંસક પ્રદર્શનો પર બોલ્યા આર્મી ચીફ- 'આ લીડરશીપ નથી'
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ કરીને કહ્યું કે આરએસએસના વડાપ્રધાન ભારતમાતાને જૂઠ્ઠુ બોલે છે. તેમણે જે વિડિયોને ટ્વીટ કર્યો છે તેમાં આસામમના એક ડિટેન્શન સેન્ટરનો ઉલ્લેખ કરાયો છે. રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટ પર જૂઠ, જૂઠ, જૂઠ નો હેશટેગ પણ લગાવ્યો છે.
RSS का प्रधानमंत्री भारत माता से झूठ बोलता हैं ।#JhootJhootJhoot pic.twitter.com/XLne46INzH
— Rahul Gandhi (@RahulGandhi) December 26, 2019
શું કહ્યું હતું પીએમ મોદીએ?
વાત જાણે એમ છે કે દિલ્હીમાં ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવાને લઈને દિલ્હી ભજાપ તરફથી રામલીલા મેદાનમાં 22 ડિસેમ્બરના રોજ રેલી કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગેરકાયદે કોલોનીઓમાં રહેતા લોકો તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ધન્યવાદ રેલીમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિટેન્શન સેન્ટરને લઈને કોંગ્રેસ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીમાં કહ્યું હતું કે હજુ પણ જે ભ્રમ છે, હું કહીશ કે કોંગ્રેસ અને અર્બન નક્સલીઓ દ્વારા ઉડાવવામાં આવેલી ડિટેન્શન સેન્ટરની અફવાઓ હળાહળ જૂઠ્ઠાણું છે. બદઈરાદાવાળી છે. દેશને તબાહ કરવાના નાપાક ઈરાદાઓથી ભરેલી છે. આ ખોટું છે, ખોટું છે, ખોટું છે.
CAA: UPમાં જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓનું આવી બન્યું, વસૂલાત માટે નોટિસ ફટકારાઈ
આ VIDEO પણ ખાસ જુઓ...
ડિટેન્શન સેન્ટરને કેમ થાય છે ચર્ચા?
અત્રે જણાવવાનું કે નાગરિકતા સંશોધન કાયદો બન્યાં બાદ તેનો વિરોધ કરી રહેલા પક્ષો, સંગઠન અને પ્રદર્શનકારીઓ તેને દેશભરમાં એનઆરસી લાગુ કરવાની દિશામાં ઉઠાવવામાં આવેલું પગલું ગણે છે. CAAના વિરોધીઓ તેના પક્ષમાં એવી પણ દલીલ કરી રહ્યાં છે કે એનઆરસીમાં જે લોકો પોતાની નાગરિકતા સાબિત કરવા માટે દસ્તાવેજો નહીં આપી શકે તેમને કેદ કરવા માટે દેશભરમાં ઠેર ઠેર ડિટેન્શન સેન્ટરો બનાવવામાં આવી રહ્યાં છે. હવે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવા માટે મોદી કેબિનેટમાંથી મંજૂરી મળ્યા બાદ વિપક્ષી દળ તેને પણ એનઆરસી લાગુ કરવા માટે ઉઠાવવામાં આવેલું પગલું ગણે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે