Home> India
Advertisement
Prev
Next

શું PM મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે પ્રિયંકા, રોબર્ટ વાડ્રાએ કહ્યું- ‘કેમ નહીં’

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની પીએમ મોદી વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણી લડવા તરફ રોબર્ટ વાડ્રાએ ઇશારો કર્યો છે.

શું PM મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે પ્રિયંકા, રોબર્ટ વાડ્રાએ કહ્યું- ‘કેમ નહીં’

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની પીએમ મોદી વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણી લડવા તરફ રોબર્ટ વાડ્રાએ ઇશારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા વાડ્રાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે લોકો પરિવર્તન ઇચ્છે છે અને તે 23 મેના ચૂંટણી પરિણામ જાહેર થવા પર જાણવા મળશે. ‘ચોક્કસ પણે દેશમાં પરિવર્તનની તકો છે. તમે મે મહિનામાં જોશો, જ્યારે પરિણામ બહાર આવશે.’

fallbacks

લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો...

વાડ્રાએ આ વાત ત્યારે કહી, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમને લાગે છે કે લોકો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વાટ આપશે. તેમણે કહ્યું, ‘પરિણામ અમારા પક્ષમાં હશે. દરેક લોકો પરિવર્તન ઇચ્છે છે. ભેલ પછી વૃદ્ધ હોય કે જવાન. તે પરિવર્તન માટે વોટ આપશે.’

રોબર્ટ વાડ્રાથી જ્યારે પૂછવામાં આવ્યું કે, શું પ્રિયંકા ગાંધી વારણસીથી પીએમ મોદીને ટક્કર આપી શકે છે? જવાબમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું, ‘કેમ નહીં, પ્રિયંકા તેમને (પીએમ મોદી) ટક્કર આપી શકે છે. લોકોને પ્રિયંકાની આંખોમાં પોતાની ખૂશી જોઇ છે.’

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More