Home> India
Advertisement
Prev
Next

Navjot Singh Sidhu ના રાજીનામા પર પંજાબના CMનું નિવેદન, 'જો કોઈ નારાજગી છે તો વાત કરીશું'

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ના રાજીનામાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે સિદ્ધુ વિભાગોની ફાળવણીમાં તેમનો મત ન લેવાતા નારાજ છે. આ સિવાય પંજાબમાં કેટલાક ઓફિસરોની બદલીથી પણ સિદ્ધુ નારાજ હતા.
 

Navjot Singh Sidhu ના રાજીનામા પર પંજાબના CMનું નિવેદન, 'જો કોઈ નારાજગી છે તો વાત કરીશું'

ચંડીગઢઃ આજનો દિવસ પંજાબ (Punjab) ની રાજનીતિ માટે મહત્વનો છે. હાલના ઘટનાક્રમ પર દેશભરની નજર છે. એક તરફ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) એ રાજીનામુ આપી દીધું છે તો પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની  (Charanjit Singh Channi) એ નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દીધી છે. ત્યારબાદ સીએમ ચન્નીએ પત્રકાર પરિષદ કરી અને કેન્દ્ર સરકારને ત્રણ કૃષિ કાયદા પરત લેવાની અપીલ કરી છે. 

fallbacks

રાજીનામાની જાણકારી નહીં?
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ- કિસાનોની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. નવા કૃષિ કાયદાથી કિસાન પરેશાન છે. સરકાર ત્રણેય કૃષિ કાયદા પરત લે. આ સાથે ચેન્નીએ કહ્યુ કે, કિસાનોને સબ્સિડી પર લોન આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ દરમિયાન મુખ્યમંત્રીએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુના રાજીનામાની જાણકારી ન હોવાની વાત કહી છે. બાદમાં કહ્યુ તે પ્રધાન છે, સારા નેતા છે. સાથે તેમણે કહ્યુ- જો સિદ્ધિ સાહેબને કોઈ સમસ્યા છે તો સાથે મળીને વાત કરીશું.

કેપ્ટન અમરિંદરે કર્યુ ટ્વીટ
તો પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુના રાજીનામા પર ટ્વીટ કર્યુ છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ- 'મેં પહેલા કહ્યુ હતુ. તે સ્થિર વ્યક્તિ નથી. પંજાબ જેવા બોર્ડર સ્ટેટ માટે જરાય યોગ્ય નથી.'

રાજીનામાનું કારણ શું?
સિદ્ધુનું રાજીનામુ તેવા સમયે થયું છે જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હી કૂચ કરી રહ્યા છે અને એવુ માનવામાં આવી રહ્યુ છે કે અહીં અમિત શાહની સાથે તેની મુલાકાત થઈ શકે છે. સિદ્ધુ અને કેપ્ટનના વિવાદ બાદ અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદ છોડ્યુ હતુ ત્યારબાદ ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. સિદ્ધુ હજુ કોઈ વાતથી નારાજ છે તેવી માહિતી પણ સામે આવી રહી છે. તેવુ માનવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ વિભાગોની ફાળવણી બાદ નારાજ થઈ ગયા હતા. મંત્રીઓને વિભાગોની ફાળવણીમાં તેની સલાહ લવામાં આવી નથી. 

આ પણ વાંચોઃ ઉરી ઓપરેશનમાં સેનાને મળી મોટી સફળતા, જીવતો ઝડપાયો લશ્કરનો એક આતંકી, મોટા હુમલાનો હતો પ્લાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More