Home> India
Advertisement
Prev
Next

લંડનમાં જઈ નવી જિંદગી શરૂ કરે તે પહેલા જ આખો પરિવાર પ્લેન ક્રેશમાં હોમાયો, કોઈ ન બચ્યું

ahmedabad plane crash news : અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજસ્થાનના 13 લોકો હોમાયા.. પરંતુ લંડનમાં સેટલ થવા જતો ડોક્ટર પરિવારના 5 લોકોએ જીવ ગુમાવ્યો છે  
 

લંડનમાં જઈ નવી જિંદગી શરૂ કરે તે પહેલા જ આખો પરિવાર પ્લેન ક્રેશમાં હોમાયો, કોઈ ન બચ્યું

ahmedabad plane crash news : પોતાના સપનાની ઉડાન ભરવા નીકળ્યા હતા પણ એ ઉડાન છેલ્લી ઉડાન બનશે એવું કોને ખબર હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આખો પરિવાર સાફ થઈ ગયો, લંડનમાં નવી જિંદગી શરૂ કરવાનો હતો રાજસ્થાનના બાંસવાડાનો પરિવાર. નોકરીમાંથી રાજીનામું આપી આખો પરિવાર લંડન સેટલ્ટ થવા જઈ રહ્યો હતો. પરંતુ પરિવારના 13 લોકો મોતને ભેટ્યા. 

fallbacks

બાંસવાડાના એક ડૉક્ટર દંપતી, ડૉ. કોમી વ્યાસ અને ડૉ. પ્રતીક જોશી, તેમના ત્રણ બાળકો પ્રદ્યુત, મીરાયા અને નકુલ સાથે પણ વિમાનમાં બેઠા હતા. ડૉ. કોમીએ એક મહિના પહેલા ઉદયપુરની પેસિફિક હોસ્પિટલમાં નોકરી છોડી દીધી હતી. કોમી તેના પતિ સાથે રહેવા લંડન જઈ રહી હતી.

ડૉ. પ્રતીક લંડનની એક ખાનગી હોસ્પિટલમાં જોડાવાના હતા અને ડૉ. કોમીને પણ ત્યાં નવી નોકરી જોડાવાની હતી. તેથી, તેમણે ત્રણેય બાળકોને લંડન શિફ્ટ થવા માટે મનાવી લીધા. પરિવારે બાળકોના શિક્ષણ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લીધો હતો, પરંતુ પાંચેયનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું.

પ્રતીક જોશીના પરિવારમાં કોણ કોણ છે?
પ્રતીક જોશી લગભગ 6 વર્ષ પહેલાં લંડન શિફ્ટ થઈ ગયા હતા. હવે તેઓ પત્ની અને ત્રણ બાળકો સાથે સ્થાયી રૂપે ત્યાં વસવા જઈ રહ્યા હતા. પ્રતીક જોશીની પત્નીનું નામ ડૉ. કોમી વ્યાસ છે. તેઓ પણ ડૉક્ટર હતા અને બે દિવસ પહેલાં જ લંડનમાં નવેસરથી શરૂઆત કરવા માટે તેણે નોકરી છોડી દીધી હતી. પરિવારને ત્રણ બાળકો છે, જેમાં બે જોડિયા દીકરીઓ હતી, જે બંને પાંચ વર્ષની હતી.

આખો પરિવાર લંડનમાં સ્થાયી થવાના ઇરાદાથી આ ફ્લાઇટમાં બેઠો હતો. કારણ કે, લાંબા સમયથી તેઓ લંડન જવાની યોજના બનાવી રહ્યો હતો. પરંતુ કોને ખબર કે તેમના ભાગ્યમાં કંઈક બીજું જ હતું.

બાંસવાડામાં પ્રતીક જોશી અને તેના પરિવારને જાણતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ તેમનો પરિવાર અમદાવાદ દોડી આવ્યો હતો. 

ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું. તેમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો. મૃત્યુ પામેલા 241 લોકોમાં 169 ભારતીય, 52 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More