નવી દિલ્હી : કોરોના વાયરસનું સંક્રમણ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ચુક્યું છે. એસીપી રાષ્ટ્રપતિ ભવન કોરોના પોઝિટિવ આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં રહેલા અનેક પોલીસ કર્મચારીઓનાં સ્ટાફે ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિને ઉઠાવવાથી માંડીને તેમનાં રૂટ અને દરેક કામમાં એસીપી ફંક્શનનો મહત્વનો રોલ હોય છે. રાષ્ટ્રપતિ ભવનની અંદર એસીપી રાષ્ટ્રપતિ ભવનની ઓફીસ છે. એસીપીને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
તણાવમાં વધારો ! હવે હિમાચલમાં ચીની સેનાની ઘુસણખોરી, ભારતીય બોર્ડમાં ઘુસ્યું ચીની હેલીકોપ્ટર
ગત મહિને રાષ્ટ્રપતિ ભવનનાં હાઉસકીપિંગ વિભાગનાં કામ કરવનારા એક કર્મચારીના પરિવારનાં કોવિડ 19 થી સંક્રમિત થયા બાદ 115 પરિવારોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. 2.5 કિલોમીટરમાં ફેલાયેલ રાષ્ટ્રપતિ એસ્ટેટમાં રહેલા કર્મચારીઓને આવાસ પ્રદાન કરવામાં આવે છે. તેમાં રાષ્ટ્રપતિનું ઘર અને કાર્યાલય, એક સંગ્રહાલય પરિસર અને પ્રસિદ્ધ ઉદ્દાન એ મુગલ ગાર્ડન, હર્બલ ગાર્ડન, મ્યુઝીકલ ગાર્ડન અને આધ્યાત્મિક ગાર્ડનનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે