ચંડીગઢ : વર્ષ 2007માં થયેલ સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ મુદ્દે પંચકુલાની વિશેષ એનઆઇએ (રાષ્ટ્રીય તપાસ એજન્સી) કોર્ટમાં ચુકાદો ટલી ગયો. આ સાથે જ આ મુદ્દે નવો ટ્વીસ્ટ આવી ગયો છે. પાકિસ્તાન નેશનલ દ્વારા દાવો કરવામાં આવ્યો કે તેમની પાસે આ કેસ અંગેના કેટલાક મહત્વનાં પુરાવાઓ છે.
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ મુદ્દાસીર સહિત 21 દિવસમાં સેનાએ 18ને ઠાર માર્યા
અત્રે ઉલ્લે્ખનીય છે કે સોમવારે કોર્ટમાં આ મુદ્દે મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદને હાજર કરાયા હતા. જો કે એક અગ્રણી સમાચાર ચેનલના અનુસાર કોર્ટમાં આ મુદ્દે સુનવણીની તારીખ હવે 14 માર્ચ નક્કી કરવામાં આવી છે. સાથે જ કેસ મુદ્દે એવો દાવો પણ સામે આવ્યો છે કે આ મુદ્દે વિશેષ સીબીઆઇ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન તેમ પણ જણાવ્યું કે, પાકિસ્તાન નેશનલના જજમેન્ટ સમયે જણઆવ્યું કે તેની પાસે કેટલાક મહત્વનાં પુરાવા છે.
14 વખત ચૂંટણી લડનારા શરદ પવારે કરી નિવૃતીની કરી જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે કે, 12 વર્ષ પહેલા થયેલા આ બ્લાસ્ટમાં 68 યાત્રીઓનાં મોત નિપજ્યા હતા. મરનારામાઓમાં મોટા ભાગનાં પાકિસ્તાનનાં રહેવાસી હતા. કેસ મુદ્દે કોર્ટે એનઆઇએ અને બચાવપક્ષની દલિલો પુર્ણ થયા બાદ આ મુદ્દે પોતાનો ચુકાદો ટાળી દીધો હતો. આ મુદ્દે 8 આરોપીમાંથી એકની હત્યા થઇ ચુકી છે જ્યારે 3 હજી પણ ફરાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે