Home> India
Advertisement
Prev
Next

Gratuity Benefits: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, UPSમાં સામેલ થનારા કર્મચારીઓને થશે આ ફાયદો

Gratuity Benefits: કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી છે. ગ્રેચ્યુઈટી માટે શું આદેશ બહાર પાડ્યો છે છે તે ખાસ જાણો. 

Gratuity Benefits: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, UPSમાં સામેલ થનારા કર્મચારીઓને થશે આ ફાયદો

Old Pension Scheme: જો તમે પોતે કેન્દ્રીય કર્મચારીઓ હોવ કે પછી તમારા પરિવારમાં કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી કે પછી તમારા પરિવારમાં કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો આ સમાચાર તમારા કામના છે. લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર તરફથી મોટી જાહેરાત કરાઈ છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) માં સામેલ થનારા કર્મચારી હવે ઓલ્ડ પેન્શન સ્કીમ  (OPS) હેઠળ રિટાયર્ડ અને ડેથ ગ્રેચ્યુઈટીના હકદાર રહેશે. આ નિર્ણયની સાથે જ કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી પણ પૂરી થઈ ગઈ છે. 

fallbacks

25 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટીનો ફાયદો
કાર્મિક રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે સરકાર તરફથી લાગૂ કરાયેલી નવી જોગવાઈ NPS હેઠળ આવતા કર્મચારીઓને સોશિયલ સિક્યુરિટી આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સિંહે જણાવ્યું કે યુપીએસમાં સામેલ કેન્દ્રીય કર્મચારીઓ હવે સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ગ્રેચ્યુઈટી ચૂકવણી) નિયમ 2021 હેઠળ રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેચ્યુઈટીના હકદાર રહેશે. ત્યારબાદ યુપીએસમાં સામેલ થનારા કર્મચારીઓને 25 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટીનો ફાયદો મળી શકશે. 

આ બે કન્ડીશનમાં મળશે ફાયદો
ડિપાર્ટમેન્ટ  ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ (DoPPW) તરફથી જારી આદેશમાં કહેવાયું છે કે યુપીએસ હેઠળ કર્મચારીઓને નોકરી દરમિયાન મૃત્યુ કે અક્ષમતાના  કારણે નોકરી છોડવા પર ઓપીએસના ફાયદા લેવાનો વિકલ્પ મળશે. DoPPWના સચિવ વી. શ્રીનિવાસે જણાવ્યું કે આ આદેશ કર્મચારીઓની શંકા દૂર કરે છે અને પ્રગતિશીલ છે. ઓલ ઈન્ડિયા એનપીએસ ઓમ્પ્લોઈઝ ફેડરેશનના ચેરમેન મંજીત સિંહ પટેલે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. 

હવે વધુને વધુ કર્મચારીઓ યુપીએસમાં આવશે
તેમણે કહ્યું કે યુપીએસમાં ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુઈટી સામેલ થવાથી કર્મચારીઓની ગેરસમજ દૂર  થશે. પટેલે કહ્યું કે નોકરીઓ દરમિયાન મોત કે શારીરિક અક્ષમતાઓ થવા પર ઓપીએસનો ફાયદો મળવો કર્મચારીઓ માટે મોટો ન્યાય છે. આ નિયમ લાગૂ થયા બાદ અનેક કર્મચારીઓ યુપીએસને સિલેક્ટ કરશે. DoPPWએ 2021માં સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ સંલગ્ન નિયમો બનાવ્યા હતા. જે હેઠળ નિયમ 10માં કહેવાયું હતું કે એનપીએસમાં સામેલ દરેક કર્મચારીને નોકરી દરમિયાન મૃત્યુ કે અક્ષમતાના કારણે નોકરી છોડવા પર એનપીએસ કે ઓપીએસનો ફાયદો પસંદ કરવાનો અધિકાર છે. 

આદેશમાં કહેવાયું કે યુપીએસ પસંદ કરનારા કર્મચારી સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (પેન્શન) નિયમ 2021 કે સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (અસાધારણ પેન્શન) નિયમ 2023 હેઠળ ફાયદો લઈ શકશે. સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત મલવાની આશા છે. યુપીએસમાં ઓપીએસનો ફાયદો સામેલ હોવાથી કર્મચારીઓનો ભરોસો વધશે. સરકાર તરફથી ઉઠાવવામાં આવેલું આ પગલું કર્મચારીઓની સામાજિક સુરક્ષાની સાથે જ તેમના ભવિષ્યનું પણ ધ્યાન રાખે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More