Joshimath and Badrinath: ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. 500થી વધુ ઘરોમાં મોટી મોટી તિરાડ પડી ગઈ છે. લોકો ડરેલા છે અને રાતભર ઉજાગરા કરીને રસ્તાઓ પર રહે છે. બુધવારે રાતે લોકોએ મશાલ રેલી કાઢી. જોશીમઠમાં ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે. રસ્તાઓ ધસી પડ્યા બાદ ત્યાંથી પાણીની ધાર થઈ રહી છે. પાણીની ધાર પણ ડરાવનારી છે. પાણીની સાથે માટી આવી રહી છે જે ડર વધારી રહી છે. એવું કહેવાય છે કે અનેક જગ્યાઓ પર વીજળીના થાંભલા વાંકા થઈ ગયા છે. એવું લાગી રહ્યું છે કે પહાડ નીચેની બાજુ ધસી રહ્યો છે. ખતરાને જોતા પાંચ પરિવારને નગર પાલિકા ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરાયા છે.
શું છે દંતકથા?
જોશીમઠમાં થઈ રહેલા ભૂસ્ખલનને એક દંતકથા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. વાત જાણે એમ છે કે જોશીમઠમાં જ બદ્રીનાથ મંદિર છે. જનશ્રુતિઓમાં કહેવાય છે કે અહીં એક મંદિરમાં નૃસિંહ ભગવાનની જમણી ભૂજાના સતત પાતળા થવાનો દાવો કરાય છે અને કહેવાય છે કે જ્યારે આ બાજુ કપાઈને પડી જશે ત્યારે બદ્રીનાથ લુપ્ત થઈ જશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મૂર્તિમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. દાવો કેદારખંડના સનતકુમાર સંહિતા મુજબ કરવામાં આવ્યો છે કે એક દિવસ બદ્રીનાથ ધામ લુપ્ત થઈ જશે.
'કોરોનાના કારણે દેશમાં લાગશે લોકડાઉન', જાણો આ વાયરલ દાવાની સચ્ચાઈ
અંજલીનું માથું ફાટવાની સાથે હાડકાં આવી ગયા હતા બહાર, શરીરનું દરેક અંગ હતું લોહીલુહાણ
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આ નેતાનું નામ સૌથી આગળ, ગુજરાત સાથે છે કનેક્શન
નૃસિંહ મંદિર વિશે કહેવાય છે કે તે 1200 વર્ષ કરતા વધુ વર્ષ જૂનું છે. આદિગુરુ શંકરાચાર્યએ જોશીમઠમાં જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને પછી નૃસિંહ મૂર્તિની સ્થાપના કરી હતી. એવું કહેવાય છે કે નૃસિંહની આ મૂર્તિનું નિર્માણ આઠમી શતાબ્દીમાં કાશ્મીરના રાજા લલિતાદિત્યએ કરાવ્યું હતું. એવું પણ કહેવાય છે કે આ મૂર્તિ બનાવવામાં નથી આવી પરંતુ ખોદકામમાં મળી આવી છે. જનશ્રુતિઓમાં કહેવાય છે કે જ્યારે બદ્રીનાથ ધામ લુપ્ત થઈ જશે ત્યારે જોશીમઠથી 25 કિમી દૂર સ્થિત ભવિષ્ય બદ્રીમાં લોકો ભગવાન નારાયણના દર્શન કરશે. જો કે આ વાત લોકોમાં ચર્ચાતી રહે છે. જોશીમઠમાં થઈ રહેલી ઘટનાઓને તેની સાથે ફક્ત જોડવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોએ આવી કોઈ ભવિષ્યવાણી કરી નથી.
જુઓ લાઈવ ટીવી
ચોંકાવનારી ઘટનાઓ
જોશીમઠમાં રહેતા લોકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ તેમણે તેમના જીવનમાં કયારેય જોઈ નથી. જ્યાં રસ્તાઓ હતા ત્યાંથી પાણીની જોરદાર ધાર થવા લાગી. ઘરોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ. લોકોનો દાવો છે કે આ તિરાડો સતત વધી રહી છે. જમીનથી નીકળતું પાણી પણ મેલું છે અને નાળાની જેમ વહી રહ્યું છે. અધિકારીઓ અને વિશેષજ્ઞોની ટીમ અહીં સર્વે કરવા આવવાની છે. લોકોનું કહેવું છે કે શહેર ધીરે ધીરે ડૂબી રહ્યું છે. રાજ્ય પ્રશાસને લોકોની દરેક મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે