Home> India
Advertisement
Prev
Next

સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ

જોધપુરમાં એક યુવક 3 લાખની ઠગાઈનો ભોગ બન્યો છે.  ફર્જી લગ્ન બાદ કન્યા ફરાર થઈ ગઈ છે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં સુહાગરાતે જ પોલ ખૂલી હતી પણ યુવક વિશ્વાસમાં રહી ગયો અને હવે પસ્તાઈ રહ્યો છે. 

સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ

Suhagrat: લગન્ની ઉતાવળ ક્યારેક ભારે પડતી હોય છે. એમાં યે જો રૂપિયા ખર્ચીને કન્યા લાવવાની હોય તો 100 વાર વિચાર કરજો. હાલમાં લૂંટારી દુલ્હન એ સૌથી મોટુ સ્કેમ છે. જેમાં લગ્ન બાદ કન્યા સુહાગરાતના સપનાં દેખાડીને ફરાર થઈ જાય છે. જોધપુરની રાજધાની ગજેન્દ્ર નગરમાં એક યુવકના 3 લાખ રૂપિયા લઈ દુલ્હન ફરાર થઈ ગઈ છે. પીડિત યુવકે પોતે જ તેની નવપરિણીત વહુ સામે ગુનો નોંધાવ્યો હતો, જેમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જેનું સત્ય લગ્નની રાત્રે બહાર આવ્યું હતું. જ્યારે વરરાજાને ખરી હકિકત ખબર પડી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

fallbacks

કન્યા પહેલેથી જ પરિણીત છે અને તેને એક બાળક-
વાસ્તવમાં મહારાષ્ટ્રની રહેવાસી લૂંટારી દુલ્હન સુપ્રિયા ઉર્ફે રોહિણીએ બોગસ લગ્નના બદલામાં પીડિત પાસેથી 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમ જેમ લગ્ન નજીક આવતાં માતાની બીમારીનું બહાનું કાઢી તેને લગ્નને મોકૂફ રાખ્યા હતા. તપાસમાં ખબર પડી કે કન્યા પહેલાંથી જ પરિણીત હતી અને તેને એક બાળક પણ હતું. પોલીસે સુપ્રિયા ઉર્ફે રોહિણી, બાબુલાલ, સલીમ ખાન, નેહા, સંતોષ સહિત અનેક લોકો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

સુહાગરાત માટે ના ના કરતી હતી-
પોલીસના જણાવ્યા અનુસાર પીડિત યુવકને જાણી જોઈને સંપૂર્ણ પ્લાન બનાવીને ફસાવવામાં આવ્યો હતો. પહેલા તેનાં બનાવટી લગ્ન ઉદયપુરના મંદિરમાં કરવામાં આવ્યા હતા. બાદમાં સુપ્રિયા ઉર્ફે રોહિણીને તેની માતાની માંદગીના બહાને થોડા દિવસો પછી અકોલા મહારાષ્ટ્ર પરત આવી હતી. કન્યા સુહાગ રાત માટે તેના વરને સતત ના પાડતી રહી અને બે દિવસ પછી તેના ગામ પાછી ગઈ. જે બાદ તે પરત આવી જ નહીં. વરરાજાએ તપાસ કરતાં જ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. કન્યાએ વરરાજાને ધમકી આપી છે કે જો તે તેને ખૂબ હેરાન કરશે અથવા તેના પર પરત આવવાનું દબાણ કરશે, તો કન્યા વરને માનવ તસ્કરીમાં ફસાવી દેશે.

રાજસ્થાનમાં લૂંટારી દુલ્હન બનાવે છે લોકોને શિકાર-
તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાંથી દરરોજ લૂંટારી દુલ્હનના સમાચાર બહાર આવતા રહે છે. આ પછી પણ લોકો લગ્નના અરમાનોમાં ફસાઈ જાય છે. તેઓ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા વિના લગ્ન કરે છે અને એક અઠવાડિયામાં તે તેના પૈસા અને ઘરેણાં લઈને ભાગી જાય છે. શિકારી દુલ્હનોની આ ટોળકી એવા લોકોનો શિકાર કરે છે કે જેઓ કોઈ કારણસર લગ્ન નથી કરી રહ્યા અથવા ખૂબ મોટી ઉમરના હોય છે અને પરણવાના અભરખા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More