નવી દિલ્હી: પ્રવાસી મજૂરોના મામલે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો આદેશ આપતા કહ્યું કે જે મજૂરો પાછા ફરવા માંગતા હોય તેમને 15 દિવસમાં વતન પાછા મોકલો. કોર્ટે રાજ્યો પાસેથી સોગંદનામું માંગ્યું છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રાજ્ય 15 દિવસમાં બાકીના શ્રમિકોને તેમના ગામ પાછા મોકલે. શ્રમિક ટ્રેન વધુ દોડાવવામાં આવે જેથી કરીને તેમને મુસાફરી માટે અપ્લાય કર્યાના 24 કલાકમાં જ ટ્રેન મળી જાય.
કોર્ટે કહ્યું કે પલાયન કરવાનું મન બનાવી ચૂકેલા મજૂરોને આજથી 15 દિવસની અંદર પોતાના ગામ કે તેઓ જ્યા જવા માંગતા હોય ત્યાં મોકલવાના યોગ્ય ઈન્તેજામ સુનિશ્ચિત કરવામાં આવે. રાજ્યો શ્રમિકોને સ્થાનિક સ્તર પર રોજગારી આપવાની સ્કિમ તૈયાર કરે. આ માટે પલાયન કરી ગયેલા તમામ શ્રમિકોની ઓળખ કરીને પૂરી વિસ્તૃત જાણકારીવાળો ડેટા તૈયાર કરવામાં આવે. ત્યારબાદ તેમને યોગ્ય રોજગારી આપવાની યોજના તૈયાર કરવામાં આવે.
જુઓ LIVE TV
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે તમામ શ્રમિકોની સ્કિલ મેપિંગની વ્યવસ્થા થવી જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આ વ્યવસ્થા કરવામાં આવે. શ્રમિકો વિરુદ્ધ લોકડાઉનના નિયમો તોડવાના આરોપમાં નોધાયેલા તમામ કેસ કે ફરિયાદો પાછી ખેંચવામાં આવે કે રદ કરવામાં આવે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે