Home> India
Advertisement
Prev
Next

શું ઘરડા મા-બાપ પોતાના સંતાનોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો

Surpeme Court: માતા પિતા જીવનની સંધ્યા આરે પહોંચે ત્યારે સંતાનોની ફરજ છે કે તેમની દેખભાળ કરે અને યોગ્ય કાળજી લે. પરંતુ જો સંતાનો ફરજ ચૂકે કે કોઈ પણ અન્ય કારણસર માતા પિતા તેમને પોતાની સંપત્તિમાંથી બેદખલ કરી શકે ખરા? સુપ્રીમ કોર્ટે શું કહ્યું તે જાણો. 

શું ઘરડા મા-બાપ પોતાના સંતાનોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો

આજની ભાગદોડવાળી જિંદગીમાં સિંગલ પરિવારોની સંખ્યા વધી ગઈ છે. કદાચ એટલે માતાપિતા અને બાળકોના સંબંધો સામે એક નવો પડકાર પણ ઊભો થયેલો છે. જ્યાં એક સમયે વૃદ્ધ માતા પિતા ઘરનો પાયો ગણાતા હતા ત્યાં હવે અનેકવાર પોતાના જ બાળકો સામે સન્માન અને દેખભાળની લડાઈ લડવી પડે છે. આવામાં જ્યારે વડીલો પોતાના જ ઘરમાં અપમાન ઉપેક્ષા કે માનસિક પીડા વેઠે તો સવાલ ઉઠે કે શું તેઓ પોતાના બાળકોને ઘરમાંથી કાઢી મૂકી શકે. આ સવાલ પર સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો. 

fallbacks

શું કહ્યું સુપ્રીમ કોર્ટે
વાત જાણે એમ છે કે વરિષ્ઠ નાગરિકોને દેખભાળ અને ભરણ પોષણ સંલગ્ન એક મહત્વનો કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો કે શું વૃદ્ધ માતા પિતા પોતાના બાળકોને ઘરમાંથી બેદખલ કરી શકે ખરા. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ શુક્રવારે સુપ્રીમ કોર્ટે એક વૃદ્ધ દંપત્તિની અરજી ફગાવી દીધી જેમાં તેમણે પોતાના પુત્રને ઘરમાંથી કાઢી મૂકવાની માંગણી કરી હતી. આ અરજીમાં તેમમે Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 વરિષ્ઠ નાગરિક અધિનિયમનો હવાલો આપ્યો હતો. આ કાયદો વૃદ્ધોને ભરણ પોષણ મેળવવાનો અધિકાર આપે છે પરંતુ તેમાં બેદખલ કરવાનો અધિકાર અપાયો નથી. 

શરતો પૂરી ન થાય તો બેદખલ શક્ય
જો કે સુપ્રીમ કોર્ટે પહેલાના ચુકાદાઓમાં એ ક્લિયર કર્યું છે કે જો વડીલો પોતાની સંપત્તિ કોઈ શરત સાથે બાળકોને આપે છે અને તેઓ તે શરતો પૂરી કરે નહીં તો બેદખલ કરવા શક્ય છે. કાયદાની કલમ 23 મુજબ જો કોઈ વડીલે પોતાની સંપત્તિ કોઈ શરત પર કોઈને આપી હોય કે તેઓ તેમની દેખભાળ કરશે પરંતુ તે વ્યક્તિ ન કરે તો આ પ્રોપર્ટી ટ્રાન્સફર અમાન્ય ગણી શકાય છે. આવા કેસોમાં વડીલો ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે અને સંપત્તિ પાછી લેવાની માંગણી કરી શકે છે. 

કોર્ટે બીજું શું કહ્યું
 રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે 2020માં એક ચુકાદામાં કહ્યું હતું કે જો વરિષ્ઠ નાગરિકોની દેખભાળ ન થતી હોય અને તેઓ હેરાનગતિનો ભોગ બનતા હોય તો Senior Citizens Act હેઠળ બનાવવામાં આવેલ ટ્રિબ્યુનલ બાળકો કે સંબંધીઓને ઘરમાંથી કાઢી મૂકવાનો આદેશ આપી કે છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ અધિકાર કાયદાની કલમ 23(2) માં અપાયેલો છે અને વડીલ સંપત્તિ દ્વારા ભરણ પોષણનો હક ધરાવે છે તથા જો તે સંપત્તિ કોઈને ટ્રાન્સફર કરી દે તો આ હક નવા માલિક ઉપર પણ લાગૂ થાય છે. 

પુત્રને કાઢી મૂકવાની ના પાડી
હાલ આ મામલે સુપ્રીમ કોર્ટે પુત્રને બેદખલ કરવાની ના પાડી દીધી. વડીલ દંપત્તિનો દાવો હતો કે તેમનો પુત્ર માનસિક અને શારીરિક રીતે હેરાનગતિ કરે છે. 2019માં ટ્રિબ્યુનલે આંશિક રાહત આપતા પુત્રને ઘરના કોઈ અન્ય ભાગમાં એન્ટ્રી ન કરવા અને ફક્ત પોતાની દુકાન અને રૂમ સુધી સિમિત રહેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી પુત્રના વ્યવ્હારનું કોઈ નવું પ્રમાણ ન હોય ત્યાં સુધી બેદખલ કરવાનો આદેશ જરૂરી નથી. 

એક્સપર્ટ્સનું માનવું છે કે આ ચુકાદાથી એ વાત ક્લિયર છે કે કોઈ પણ સ્થિતિમાં બેદખલ કરવાનો આદેશ આપી શકાય નહીં. કોર્ટે કહ્યું કે ટ્રિબ્યુનલે તમામ પક્ષોના દાવાની તપાસ કરવી પડશે અને ફક્ત ત્યારે જ બેદખલ કરવાનો નિર્ણય લઈ શકાય છે જ્યારે વડીલોની સુરક્ષા અને દેખભાળ માટે તે જરૂરી હોય. એટલે કે કાયદો વડીલોને સુરક્ષા આપે છે પરંતુ બેખલ કરવું ત્યારે શક્ય છે જ્યારે સ્થિતિ ગંભીર હોય અને ન્યાયસંગત રીતે તેનો આધાર હોય. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More