Union Budget 2024: બજેટમાં અબકી બાર આંધ્ર પ્રદેશ-બિહાર! ચંદ્રાબાબુએ હાથ જોડ્યા, નીતિશ પગે લાગ્યાં તો PM મોદીએ બિહાર-આંધ્ર પર કર્યો પૈસાનો વરસાદ. મોદી સરકારે ભંડાર ખોલી દીધા, નાયડુ-નીતિશને મળી રિટર્ન ગિફ્ટ. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ BJPએ JDU અને TDPના ટેકાથી ગઠબંધન સરકાર બનાવી લીધી. બિહાર અને આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો તો ન મળ્યો. પરંતુ બજેટમાં અબ કી બાર બિહાર અને આંધ્ર પ્રદેશ માટે ભંડાર ખોલી નાંખવામાં આવ્યા. નાણા મંત્રીએ બજેટમાં બંને રાજ્યો માટે કઈ જાહેરાત કરી?. વિપક્ષે તેના પર શું નિશાન સાધ્યું? જોઈશું આ અહેવાલમાં...
જેના સમર્થનથી સરકાર તેમના માટે ખૂલ્યા ભંડાર-
આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં માત્ર 240 બેઠક આવી. જેમાં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીની 16 બેઠક અને જેડીયુની 12 બેઠકથી સરકારને મજબૂતી મળી. આ વખતે 10 વર્ષ પછી ભાજપ ગઠબંધનના સહારે સરકારમાં આવ્યું અને તેની અસર બજેટમાં પણ જોવા મળી. લોકસભામાં ભાજપને જ્યારે પુરી સીટો ન મળી ત્યારે જેડીયુના નીતિશ અને તેલગુ દેશમના ચંદ્રાબાબુએ એનડીએ સાથી પક્ષ તરીકે સાથ આપ્યો. એ સમયે પણ આંધ્રના ચંદ્રાબાબુએ મોદીને હાથ જોડેલાં જ્યારે બિહારના નીતિન કુમાર પીએમ મોદીને પગે લાગ્યા હતા. આ વખતના બજેટમાં બન્નેના રાજ્યો પર મોદી સરકાર મહેરબાન થઈ.
બજેટમાં બિહાર માટે મોટી જાહેરાતથી મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે સાથે સ્થાનિક પક્ષોએ પણ ખુશી વ્યક્ત કરી...
બજેટમાં આંધ્ર પ્રદેશ માટે પણ વિશેષ જાહેરાત કરવામાં આવી છે... તેના પર નજર કરીએ તો આંધ્ર પ્રદેશ માટે બજેટમાં 15,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગોદાવરી નદી પર પોલાવરમ સિંચાઈ પરિયોજના માટે મદદ કરાશે. આંધ્ર પ્રદેશમાં બે ઈકોનોમિક કોરિડોર તૈયાર કરવામાં આવશે. જેમાં વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર અને હૈદરાબાદ-બેંગાલુરુ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર તૈયાર કરવામાં આવશે. હાઈવે, રસ્તા, વિજળી અને પાણી માટે ફંડ આપવામાં આવશે. આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીના વિકાસ માટે ફંડની જાહેરાત કરતાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકારનો આભાર માન્યો હતો.
તેમણે ટ્વીટ કર્યું કે, આંધ્ર પ્રદેશના લોકો તરફથી હું પ્રધાનમંત્રી મોદી અને નાણા મંત્રીનો અમારા રાજ્યની જરૂરિયાતને ઓળખવા માટે આભાર માનું છું. નાણાંકીય વર્ષ 24-25ના કેન્દ્રીય બજેટમાં રાજધાની, પોલાવરમ, ઔદ્યોગિક NOD અને પછાત વિસ્તારના વિકાસ માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કેન્દ્રથી મળનારો આ સહયોગ આંધ્ર પ્રદેશના પુનર્નિર્માણમાં બહુ ઉપયોગી સાબિત થશે..
વિપક્ષના નેતાઓએ બિહાર અને આંધ્ર પ્રદેશ માટે જાહેર કરવામાં આવેલા બજેટ પર નિશાન સાધ્યું છે. આગામી સમયમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં ચૂંટણી આવી રહી છે પરંતુ તે રાજ્યો માટે કંઈ જાહેરાત થઈ નથી. જેના કારણે આ બજેટની કેવી અસર તે રાજ્યોમાં થશે તે આવનારો સમય બતાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે