Unique Wedding Tradition: ભારતમાં અલગ-અલગ સ્થળોએ લગ્નની અલગ-અલગ પરંપરાઓ છે. આપણા દેશમાં દરેક સમાજ અને ઘરોમાં લગ્નને લઈને અલગ-અલગ પરંપરાઓ અને વિધિઓ હોય છે. એવી ઘણી ધાર્મિક વિધિઓ છે જે વ્યક્તિને તેમના વિશે વિચારવા માટે મજબૂર કરે છે, આ સિવાય ઘણી બધી પરંપરાઓ લોકોને હસવા માટે મજબૂર કરે છે.
આજે અમે તમને એવી જ એક લગ્ન પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અહીં લગ્ન પછી વરરાજાને કૂવામાં ફેંકવાની એક વિચિત્ર પરંપરા અનુસરવામાં આવે છે. ભારતના એક ગામમાં આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. ચાલો જાણીએ લગ્નની આ વિધિ ક્યાં થાય છે?
Appleની મોટી કાર્યવાહી, એક જ વારમાં હટાવી દીધી 1 લાખ 35 હજાર એપ્સ, જાણો શું છે કારણ?
અહીં છે વરરાજાને કૂવામાં ફેંકવાની પરંપરા
આ વિચિત્ર લગ્ન પરંપરા ઉત્તર ગોવામાં ગોવાસીઓ દ્વારા અનુસરવામાં આવે છે. અહીં નવા પરણેલા વરરાજને લઈ જઈને કૂવામાં કે તળાવમાં ફેંકી દેવામાં આવે છે. આ પરંપરાનું નામ "સાઓ જોઆઓ" છે. જેના વિશે એવું કહેવાય છે કે, વરરાજાના સ્વાસ્થ્યને સારી રહે છે. એવું પણ કહેવાય છે કે, આ પરંપરા કન્યાના પરિવાર માટે વરરાજા વિશે થોડી સારી રીતે જાણવાની તક હોય છે.
દુનિયાભરમાં છે લગ્નની વિચિત્ર પરંપરાઓ
આ પહેલીવાર નથી કે જ્યાં લગ્નની વિચિત્ર પરંપરાનું પાલન કરવામાં આવ્યું હોય. પરંતુ વિશ્વભરમાં વિવિધ સ્થળોએ લગ્ન સંબંધિત ખૂબ જ વિચિત્ર પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ લગ્ન સમયે વરરાજાને મારવામાં આવે છે, તો કેટલીક જગ્યાએ લગ્ન પછી વરરાજા સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે.
શ્રી કૃષ્ણનું સામ્રાજ્ય કેમ ડૂબી ગયું સમુદ્રમાં,4000 વર્ષ પહેલા કોણે આપ્યો હતો શ્રાપ
આ સિવાય પણ કેટલીક પરંપરાઓ છે જે તમને હસાવશે. કેટલીક જગ્યાએ વરરાજાને ચંપલ મારવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણી વખત લોકો લગ્નની આ વિધિઓ કરવામાં સંકોચ અનુભવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે