નવી દિલ્હીઃ દિલ્હીના ઐતિહાસિક લવકુશ રામલીલા મેદાનમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પહોંચ્યા હતા. તેમણે અહીં રામ સહિત અન્ય પાત્રો ભજવતા કલાકારો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ બાણ ચલાવીને રાવણના પુતળાનું દહન કર્યું હતું.
President Ram Nath Kovind and Prime Minister Narendra Modi take part in #Dusshera celebrations at Delhi's Lal Qila maidan. pic.twitter.com/HAOPh8GCIg
— ANI (@ANI) October 19, 2018
#WATCH: President Kovind & PM Modi at Dussehra celebrations in Delhi https://t.co/InQNdFOy4Q
— ANI (@ANI) October 19, 2018
રાષ્ટ્રપતિએ સંબોધન કરતાં આ પ્રસંગે જણાવ્યું કે, "આપણે પ્રભુ રામના જીવનમાંથી પ્રેરણા લઈને આગળ વધવાનું છે. ભગવાન રામે રાવન પર જનસમુહ અને પર્યાવરણ પાસેથી મદદ મેળવીને વિજય મેળવ્યો હતો. રાષ્ટ્રપતિએ દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આપણે રાવણના સ્વરૂપમાં પોતાના અંદર અને આજુબાજુની તમામ બુરાઈઓનો નાશ કરવાનો છે."
President Ram Nath Kovind and Prime Minister Narendra Modi at Luv-Kush Ramlila, at Delhi's Lal Qila Maidan. pic.twitter.com/ybxRekeLBi
— ANI (@ANI) October 19, 2018
લાલકિલ્લાની પાસે એક અન્ય ધાર્મિક રામલીલામાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ હાજર રહ્યા હતા.
Congress President Rahul Gandhi, Former PM Manmohan Singh and Sonia Gandhi take part in #Dusshera celebrations by Shri Nav Dharmik Leela Committee in Delhi. pic.twitter.com/gjsyLDWGVs
— ANI (@ANI) October 19, 2018
લવકુશ રામલીલામાં રાષ્ટ્રપતિના સંબોધન બાદ રામલીલાનું મંચન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પીએમ મોદીએ બાણ ચલાવ્યું અને બુરાઈના પ્રતીક રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળા સળગીને રાખ થઈ ગયા હતા.
Delhi: Prime Minister Narendra Modi burns effigy of Ravan during #Dusherra celebrations at Luv-Kush Ramlila in Lal Qila Maidan. pic.twitter.com/TER0Dzw6UZ
— ANI (@ANI) October 19, 2018
પીએમ મોદીએ વિજાયદશીમીના અભિનંદન પાઠવતાં સૌના સાથ, સૌના વિકાસની વાતનું પુનરૂચ્ચારણ કર્યું હતું.
महाराष्ट्र की धरती ने हमेशा सामाजिक समरसता का पाठ देश को पढ़ाया है। वीर शिवाजी रहे हों, बाबा साहब भीमराव आंबेडकर हों या फिर महात्मा फूले, सबने उन मूल्यों की स्थापना की है जो समता और एकता को समाज की शक्ति मानते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 19, 2018
ત્યાર બાદ અન્ય રામલીલામાં પણ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓનું દહન થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે