Home> India
Advertisement
Prev
Next

VIDEO : રામલીલા મેદાનમાં પીએમ મોદીએ બાણ ચલાવી બુરાઈના પ્રતીક રાવણનું દહન કર્યું

રામલીલા મેદાનમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે પહોંચ્યા હતા 

VIDEO : રામલીલા મેદાનમાં પીએમ મોદીએ બાણ ચલાવી બુરાઈના પ્રતીક રાવણનું દહન કર્યું

નવી દિલ્હીઃ દિલ્હીના ઐતિહાસિક લવકુશ રામલીલા મેદાનમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પહોંચ્યા હતા. તેમણે અહીં રામ સહિત અન્ય પાત્રો ભજવતા કલાકારો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ બાણ ચલાવીને રાવણના પુતળાનું દહન કર્યું હતું. 

fallbacks

રાષ્ટ્રપતિએ સંબોધન કરતાં આ પ્રસંગે જણાવ્યું કે, "આપણે પ્રભુ રામના જીવનમાંથી પ્રેરણા લઈને આગળ વધવાનું છે. ભગવાન રામે રાવન પર જનસમુહ અને પર્યાવરણ પાસેથી મદદ મેળવીને વિજય મેળવ્યો હતો. રાષ્ટ્રપતિએ દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આપણે રાવણના સ્વરૂપમાં પોતાના અંદર અને આજુબાજુની તમામ બુરાઈઓનો નાશ કરવાનો છે."

લાલકિલ્લાની પાસે એક અન્ય ધાર્મિક રામલીલામાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ હાજર રહ્યા હતા.

લવકુશ રામલીલામાં રાષ્ટ્રપતિના સંબોધન બાદ રામલીલાનું મંચન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પીએમ મોદીએ બાણ ચલાવ્યું અને બુરાઈના પ્રતીક રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળા સળગીને રાખ થઈ ગયા હતા. 

 

પીએમ મોદીએ વિજાયદશીમીના અભિનંદન પાઠવતાં સૌના સાથ, સૌના વિકાસની વાતનું પુનરૂચ્ચારણ કર્યું હતું. 

ત્યાર બાદ અન્ય રામલીલામાં પણ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓનું દહન થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More