Home> India
Advertisement
Prev
Next

વક્ફ બિલ પર ભાજપની ગુગલી, વિપક્ષ જેને પોતાના માનતું હતું તે જ દાવ કરી ગયા!

રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલ નિર્વિધ્ને બહુમતીથી પસાર થઈ ગયું. કદાચ પહેલીવાર એવું બન્યું કે એનડીએની સાથે ન હોવા છતાં બે પક્ષોએ ખુલીને વિપક્ષનો સાથ આપ્યો નહીં. 

વક્ફ બિલ પર ભાજપની ગુગલી, વિપક્ષ જેને પોતાના માનતું હતું તે જ દાવ કરી ગયા!

આખરે વક્ફ સંશોધન બિલ 2024ને સંસદના બંને ગૃહોની લીલી ઝંડી મળી ગઈ છે. બિલ પર બે દિવસ સુધી સંસદમાં ઉગ્ર ચર્ચા જોવા મળી. શુક્રવારે વહેલી પરોઢે આ બિલ રાજ્યસભામાં પણ બહુમતીથી પાસ થઈ ગયું. આ બિલ દ્વારા વક્ફ સંપત્તિઓના મેનેજમેન્ટ અને વિવાદોની પતાવટમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યાં મુજબ આ બિલને મુસ્લિમ મહિલાઓના અધિકારોને મજબૂત કરવા અને તમામ મુસ્લિમ સમુદાયોના હિતોની રક્ષા સ્વરૂપે રજૂ કરાયું જ્યારે વિપક્ષે તેને મુસ્લિમ સમુદાયને નિશન બનાવવાનું ષડયંત્ર ગણાવ્યું. આ બધા વચ્ચે એક રસપ્રદ ઘટના જોવા મળી જ્યારે વિપક્ષને એક મોટો ઝટકો  મળ્યો. બન્યું એવું કે બે પક્ષોએ છેલ્લી ઘડીએ પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું. 

fallbacks

બે પાર્ટીઓએ સ્ટેન્ડ બદલ્યું...વિપક્ષને મળ્યો ઝટકો
અસલમાં તેને ભાજપની ગુગલી કહો કે પછી આ બંને પક્ષોનો મૂડ સ્વિંગ કહો પરંતુ બીજેડી અને વાયએસઆરસીપીએ છેલ્લી ઘડીએ પોતાના સાંસદોને મતદાન કરવા માટે સ્વતંત્ર છોડી દીધા. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન બીજેડીના ફ્લોર લીડર સસ્મિત પાત્રાએ જાહેરાત કરી કે તેમની પાર્ટી  પોતાના સાંસદોને વ્હીપ જારી કરશે નહીં. તેમણે કહ્યું કે અમે અલ્પસંખ્યક સમુદાયોની ભાવનાનું સન્માન કરીએ છીએ અને અમારા સાંસદ પોતાની વિવેકબુદ્ધિના આધારે મતદાન કરશે. એ જ રીતે વાયએસઆરસીપીએ પણ પોતાના સાંસદોને મતદાન માટે સ્વતંત્ર છોડી દીધા. તેનાથી વિપક્ષી દળોની રણનીતિ નબળી પડી ગઈ કારણ કે આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે કોઈ  બિન એનડીએ પક્ષો આ બિલ પર વિપક્ષની સાથે ખુલીને પડખે ન રહ્યા. 

છેલ્લી ઘડીએ બદલાયું રાજકીય ગણિત
આ બિલ પર મતદાન પહેલા સુધી બીજેડી વિપક્ષ સાથે હતી પરંતુ છેલ્લી ઘડીએ તેણે પોતાનું સ્ટેન્ડ બદલ્યું. તેનાથી વિપક્ષને મોટો ઝટકો લાગ્યો. આવું પહેલીવાર બન્યું કે જ્યારે કોઈ  બિન એનડીએ પક્ષે વિપક્ષના વલણથી અલગ જઈને બિલ વિરુદ્ધ કોઈ કડક વલણ અપનાવ્યું નહી. આ બધા વચ્ચે અમિત શાહે સ્પષ્ટ કર્યું કે 2013ના કાનૂનમાં નાગરિક કોર્ટોમાં વક્ફ સંલગ્ન કેસોની સુનાવણીની જોગવાઈ નહતી. જ્યારે નવા બિલમાં તેને ક્લિયર કરાયું છે. 

કાનૂન મંત્રી કિરેન રિજિજૂએ બિલ રજૂ કરતા કહ્યું કે આ સંપૂર્ણ રીતે સમાવેશી છે અને મુસ્લિમ સમાજના હિતોને સુરક્ષિત રાખવા માટે લાવવામાં આવ્યું છે. તેમણે ક્હ્યું કે વક્ફ સંપત્તિઓનું મેનેજમેન્ટ, નિર્માણ અને લાભાર્થી ફક્ત મુસ્લિમ જ રહેશે. તેમણે વિપક્ષના એ આરોપો પણ ફગાવ્યા કે આ બિલ મુસ્લિમ સમુદાયની વિરુદ્ધમાં છે. રાજ્યસભામાં સદનના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે મોદી સરકારે આ બિલ પર લોકતાંત્રિક પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કર્યું છે. 2013માં યુપીએ સરકારે ફક્ત 13 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિ બનાવી હતી જ્યારે અમારી સરકારે 31 સભ્યોની સમિતિ બનાવી. 

ખડગેનો પલટવાર, અલ્પસંખ્યકોના અધિકારો છીનવે છે સરકાર
વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર અલ્પસંખ્યકોના અધિકાર છીનવી લેવાની કોશિશ કરે છે. તેમણે કહ્યું કે તમે  તેમનું બજેટ ઘટાડી રહ્યા છો, મદરેસાઓની શિક્ષણ યોજનાઓ રોકવામાં આવી છે, મફત કોચિંગ યોજનાઓ બંધ કરાઈ છે અને દાવો કરી રહ્યા છો કે આ બિલ મુસ્લિમ મહિલાઓ અને ગરીબો માટે છે. ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર વક્ફ સંપત્તિઓને એક લેન્ડ બેંક પ્રકારે ઉપયોગ કરીને મોટા કોર્પોરેટ્સને આપવાની યોજના ઘડી રહી છે. કોંગ્રેસ નેતા સૈયદ નસીર હુસૈને પણ આ બિલની ટીકા કરતા કહ્યું કે આ મુસ્લિમ સમુદાયને બીજા દરજ્જાના નાગરિક બનાવવાનો પ્રયત્ન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More