નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ 370ને ખતમ કરવાના મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે પહેલીવાર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે અમે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું ન તો સમર્થન કરીએ છીએ કે ન તો વિરોધ કરીએ છીએ.
લોકસભામાં જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ, લાઈવ અપડેટ્સ માટે કરો ક્લિક...
તેમણે વધુમાં કહ્યું કે પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાની અટકાયત કરાઈ છે. તેઓ કોઈ આતંકવાદી નથી. તેમને છોડી મૂકવા જોઈએ.
જુઓ LIVE TV
મમતા બેનરજીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા અગાઉ સ્થાનિક લોકો સાથે વાતચીત કરવી જોઈતી હતી. આ અંગે ફારુક અબ્દુલ્લાને પણ જણાવવામાં આવ્યું નથી.
દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે