ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં ગરમીના કારણે લોકો ઝૂલસી રહ્યા છે. ભીષણ ગરમીથી હાલ ખરાબ છે. જે લોકો ઓફિસ જાય છે તેઓ ઓફિસમાં કેદ છે જ્યારે જે લોકો ઘરોમાં છે તેઓ સાંજ સુધી બહાર નીકળવાની કન્ડિશનમાં નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નૌતપામાં ભીષણ ગરમીની આશા છે પરંતુ બે દિવસ પહેલા દિલ્હી એનસીઆર સિહત અનેક રાજ્યોમાં આવેલા ભારે વરસાદ અને આંધી તોફાનના કારણે હવામાન ઘણું ઠંડુ થઈ ગયું. જો કે આંધી તોફાન અને વરસાદ બાદ ફરીથી તાપ અને બફારો વધવા લાગ્યો છે. હવે લોકોના મનમાં એવો સવાલ થાય છે કે નૌતપામાં જો ભીષણ ગરમી ન પડે તો શું થાય? એક્સપર્ટ્સનું માનીએ તો નોતપામાં ધરતીનું તપવું ખુબ જરૂરી હોય છે. ખાસ જાણો આ વિગતો.
શું હોય છે નૌતપા?
નૌતપા એ નવ દિવસનો સમય હોય છે જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે અને પૃથ્વીની નજીક હોવાથી ગરમી ખુબ વધી જાય છે. તે ભારતમાં ગરમીનો સૌથી તીવ્ર સમય હોય છે. જો કે નૌતપ જ્યારે સૂર્ય મૃગશિરા નક્ષત્રમાં જાય છે ત્યારે પૂરો થાય છે. તેનો સમયગાળો નવ દિવસનો હોય છે અને આ નવ દિવસ ધરતી તપતી રહે છે. આ જ કારણે આ નવ દિવસને નૌતપા કહે છે. આ વર્ષે નૌતપા 25 મેથી 3 જૂન વચ્ચે રહેશે.
નૌતપા આવવાના ફાયદા-નુકસાન?
જ્યારે પણ નૌતપા આવે છે તો ખેડૂતો તેને સારું માને છે અને તે ખેતીવાડી માટે પોઝિટિવ સાઈન છે. હકીકતમાં એવી માન્યતા છે કે નૌતપામાં તગડી ધૂપના કારણે ધરતી ખુબ તપે છે અને વધુ તપવાના કારણે વરસાદ વધુ પડે તેવી શક્યતા વ્યક્ત કરાય છે. જો નૌતપામાં લૂ ચલે અને પ્રચંડ ગરમી હોય તો વધુ વરસાદ પડવાની આશા હોય છે. આ વખતે વરસાદના કારણે નૌતપાના શરૂઆતના બે દિવસમાં તાપ ઓછો જોવા મળ્યો. આવામાં સવાલ એ ઉઠે છે કે આખરે નૌતપામાં ધરતી ન તપી તો શું અસર જોવા મળશે? નૌતપામાં વરસાદ પડ્યો તો ખેડૂતો પરેશાન જોવા મળે છે કારણ કે ત્યારબાદ વરસાદ ઓછો પડવાની આશંકા પેદા થાય છે.
વડીલો અને એક્સપર્ટનું માનીએ તો નૌતપાની પ્રચંડ ગરમી હોય તો આવનારા સમયમાં વરસાદ સારો થવા પર પાક પણ સારો ઉતરે. નૌતપાની ગરમીથી ખેતરોમાં રહેલા કીટ, જીવાણુ મરી જાય છે અને ઝેરી જીવો નષ્ટ પામે છે.
શું છે એક્સપર્ટનો મત
નૌતપા ન આવે તો શું અસર પડે તેના વિશે અનેક જાણકારીઓ ઉપલબ્ધ છે. જેમ કે જો નૌતપાના શરૂઆતના બે દિવસમાં લૂ ન જોવા મળે તો વધુ ઉંદરો થઈ શકે છે. ત્યારબાદ ત્રીજા અને ચોથા દિવસે પણ લૂ ન જોવા મળે તો પાકને નુકસાન પહોંચાડનારા કીટને મારનારા કીડા પેદા નહીં થઈ શકે. પાંચમા દિવસે પણ લૂ ન હીં ચાલે તો ખેતરોમાં ઉડતી તીડના ઈંડાનો ખાતમો નહીં થાય. ત્યારબાદ છઠ્ઠા દિવસે ગરમીથી ધરતી નહીં તપે તો તાવવાળા બેક્ટેરિયા ખતમ નહીં થાય અને તેનો સમયગાળો લાંબો થઈ જાય છે. સાતમા દિવસે લૂ ન જોવા મળે અને ગરમી ન વધે તો ઝેરી જીવ યથાવત રહેશે અને નષ્ટ થઈ શકશે નહીં. ત્યારબાદ લાસ્ટના બે દિવસ જો ધરતી ન તપે તો આંધી આવી શકે છે અને પાકને ઘણું નુકસાન પહોંચશે. આવામાં અનેક લોકોનું માનવું છે કે મહામારીની શક્યતા વધી શકે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે