નવી દિલ્હીઃ ગુરુવારે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે આતંકવાદના મુદ્દે ભારતને સાથ આપતાં આતંકવાદી મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતની સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આમ, અમેરિકા સહિત ત્રણ દેશનો પ્રસ્તાવ ભારત માટે મોટો કુટનૈતિક વિજય છે, જ્યારે પાકિસ્તાન માટે મોટો ફટકો છે.
જો જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મંજૂરી આપવામાં આવે છે તો તે દુનિયાના એક પણ દેશની યાત્રા કરી શકશે નહીં, તેની તમામ સંપત્તિ જપ્ત થઈ જશે અને હથિયારો સુધી પણ તેની પહોંચ સમાપ્ત થઈ જશે.
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પ્રતિબંધ લાગી ગયા બાદ તમામ દેશ પોતાના ઘરેલુ વ્યવસ્થાતંત્રમાં પણ સંબંધિત આતંકવાદી પર પ્રતિબંધ લગાવી દે છે. આ પ્રસ્તાવ પસાર થઈ જવાથી દુનિયાભરના દેશોમાં અઝહરના પ્રવેશ પર પ્રતિબંધ લાગી જશે. આ ઉપરાંત, તેને કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કરવાની પણ મંજૂરી રહેશે નહીં.
'અભિનંદન' : કોઈ પણ શરત વગર પાકિસ્તાન આપણાં પાઈલટને પરત સોંપશે
જાણો સુરક્ષા પરિષદ બાદ અઝહર પર થનારી અસર
3 નહીં પરંતુ 20 PAK વિમાનો ઘૂસ્યા હતા ભારતમાં, લેઝર ગાઈડેડ બોમ્બનો કર્યો હતો ઉપયોગ-સૂત્ર
પ્રવાસ પ્રતિબંધની અસર
હથિયારો પર પ્રતિબંધ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે