Home> India
Advertisement
Prev
Next

રાજાઓને નબળા પાડવા અંગ્રેજોની ચાલ?...આ કિસ્સો જાણીને લોહી ઉકળી જશે

અંગ્રેજોએ પોતાના મનસૂબાઓને પાર પાડવા માટે ભારતમાં હાજર મજબૂત તાકાતોને ભાત ભાતની ચાલો અજમાવીને નબળા પાડવાના ભરપૂર પ્રયત્નો કર્યા હતા. તેની એક મિસાલ બરોડા રજવાડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ III હતા. ખાસ જાણો આ કહાની....

રાજાઓને નબળા પાડવા અંગ્રેજોની ચાલ?...આ કિસ્સો જાણીને લોહી ઉકળી જશે

ભારતના રાજા મહારાજા એક સમયે દુનિયાના સૌથી અમીર શાસકોમાં સામેલ હતા. આથી બ્રિટિશ સામ્રાજ્યને હંમેશા એ ડર રહેતો હતો કે ભારતીય શાસક તેમની સત્તાને પડકારી શકે છે. પોતાની સમસ્યાના સમાધાન માટે અંગ્રેજોએ ભારતીય રાજાઓને અનેક ઉપાયો અજમાવીને નબળા કરવાના પ્રયત્ન કર્યા જેમાંથી એક એ પણ હતો કે સુંદર મહિલાઓની જાળમાં ફસાવીને રાજાઓને બ્લેકમેઈલ કરવામાં આવતા હતા. 

fallbacks

પ્રેમ જાળમાં ફસાવીને વસૂલી મોટી રકમ
કેટલાક રિપોર્ટ્સ મુજબ એક એવી ઘટના બરોડા રજવાડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ III સાથે પણ થઈ હતી. એવું કહેવાય છે કે લંડનમાં એક પરિણીત અંગ્રેજ મહિલાએ તેમને પ્રેમ જાળમાં ફસાવી લીધા હતા અને પછી તેના પતિએ તેમને બદનામ કરવાની ધમકી આપીને મહારાજા સયાજીવરાવ પાસેથી મોટી રકમ વસૂલી હતી. 

બરોડાના પ્રગતિશીલ શાસક તરીકે જેમની ગણતરી થતી હતી તે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સામાજિક સુધારા, શિક્ષણ, ઔદ્યોગિકરણ, અને નવા નવા વહીવટો કામો અંગે ખુબ જાણીતા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતિયએ જ ડો. ભીમરાવ આંબેડકરને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક મદદ કરી હતી. ઈંગ્લેન્ડમાં તેમના વિરુદ્ધ સેક્સ સ્કેન્ડલને જે મોટો મુદ્દો બનાવ્યો તેમાં તેમને ટ્રેપ કરાયા. તેનું એક કારણ એ પણ હોઈ શકે કે તેઓ અંગ્રેજોને આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. 

મહારાજા સયાજીરાવને પ્રેમજાળમાં ફસાવ્યા
મહારાજા સયાજીરાવના પ્રપૌત્ર ફતેહસિંહરાવ પ્રતાવરાવ ગાયકવાડ II એ પોતાના પરદાદાની બાયોગ્રાફી 'સયાજીરાવ ઓફ બરોડા, ધ પ્રિન્સ એન્ડ ધ મેન'  (“Sayajirao of Baroda: The Prince and the Man) માં આ ઘટનાનો ઉલ્લેખ કરેલો છે. આ ઘટનાનો ખુલાસો સૌથી પહેલા મહારાજાના અંગત ડોક્ટર સુમંત મહેતાએ કર્યો હતો. જે યુરોપ પ્રવાસ દરમિયાન તેમની સાથે જ હતા. 

મહારાજા અને પત્ની વચ્ચે વધ્યો હતો તણાવ
રિપોર્ટ્સમાં ડો. મહેતાના હવાલે જણાવવામાં આવ્યું છે કે સયાજીરાવ ગાયકવાડ એક ઉંમરલાયક વ્યક્તિ હતા અને તેઓ એક યુવાન મહિલાના પ્રેમમાં પડી ગયા હતા. આ ઘટના એ સમયે ઈંગ્લેન્ડમાં ખુબ મોટા સમાચાર બન્યા હતા અને તેનાથી મહારાજા અને તેમના પત્ની વચ્ચે પણ તણાવ વધ્યો હતો. ફતેહસિંહરાવે લખ્યું હતું કે એક ચાલબાજ કપલનો ખેલ હતો, જેમાં તેઓ અમીર લોકોને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેઈલ કરતા હતા. 

શું બંને વચ્ચે શારીરિક સંબંધ હતા?
ફતેહસિંહના પુસ્તક મુજબ આ ઘટનાનું મુખ્ય પાત્ર 'બીટ્રિસ સ્ટેથન (Beatrice Statham)' નામની એક મહિલા હતી જે પહેલેથી જ પોલીસ માટે જાણીતી હતી. બીટ્રિસે મહારાજા સાથે પ્રેમનું નાટક કર્યું  હતું પરંતુ કોઈ એવા નક્કર પુરાવા ન હતા મળ્યા કે બંને વચ્ચે હકીકતમાં શારીરિક સંબંધ હતા. કેટલાક સમય બાદ જ્યારે મહારાજા બીટ્રિસ સાથે હતા ત્યારે અચાનક તેનો પતિ એર્નેસ્ટ ઈમેન્યુઅલ સ્ટેથમ ત્યાં પહોંચ્યો અને ગુસ્સો દેખાડીને તેમને બદનામ કરવાની ધમકી આપી હતી.  

મહારાજાએ આપવી પડી હતી મોટી રકમ
મહિલાના પતિએ કહ્યું હતું કે તે તેની પત્ની જોડે ડિવોર્સ લેશે અને કોર્ટમાં મહારાજને તેમની પત્નીનો પ્રેમી ગણાવીને બદનામ કરશે. જો કે શરૂઆતમાં સયાજીરાવે પોતાના વકીલોની સલાહ  પર આ બ્લેકમેઈલિંગને નજરઅંદાજ કર્યું હતું પરંતુ બાદમાં પ્રતિષ્ઠા બચાવવા માટે તેમણે ભારે રકમ આપીને મામલો ઉકેલ્યો હતો. 

બ્રિટિશ સરકારનું ષડયંત્ર?
ફતેહસિંહે ઈશારો કર્યો કે આ સમગ્ર ઘટના બ્રિટિશ સરકારનું ષડયંત્ર પણ હોઈ શકે છે. મહારાજા સયાજીરાવ બ્રિટિશ હકુમતના પ્રખર આલોચક હતા અને સ્વતંત્રતા સંગ્રામ પ્રત્યે તેમની સહાનુભૂતિ હતી. આ કારણ હતું કે અંગ્રેજ હંમેશા તેમની દરેક ગતિવિધિ ઉપર પણ નજર રાખતા હતા. 

કાશ્મીરના મહારાજા પણ ફસાયા હતા!
આ જ રીતે એક મામલો કાશ્મીરના મહારાજા હરિસિંહ સાથે પણ થયો હતો. તેમને પણ લંડનમાં એક પ્રેમ જાળમાં ફસાવવામાં આવ્યા હતા અને મોટી રકમ વસૂલાઈ હતી. મહારાજા  સયાજીરાવ અને હરિસિંહ બંનેએ પોત પોતાના રાજ્યોમાં શિક્ષણ અને દલિતોના ઉત્થાન માટે  કામ કર્યું પરંતુતેમના જીવનમાં આ વિવાદાસ્પદ મામલાઓ તેમની છબીને પ્રભાવિત કરી ગયા. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More