શ્રીનગરઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. મુકેશ અંબાણીએ પોતાના કારોબારનો વિસ્તાર વિવિધ ક્ષેત્રમાં કર્યો છે. તેમના જેવા કેટલાક લોકો છે જે પોતાના ક્ષેત્રમાં ઉદ્યોગનો વિસ્તાર કરી રહ્યાં છે. કાશ્મીરમાં અસ્થિરતા અને આતંકવાદના સમયમાં એક વ્યક્તિએ પોતાના દ્રઢ સંકલ્પ અને દૂરદર્શિતાથી ત્યાં મોટો ઉદ્યોગ ઉભો કરી દીધો. જેનાથી હજારો લોકોને રોજગાર મળ્યો. તેથી તેમને કાશ્મીરના અંબાણી કહેવામાં આવે છે. કાશ્મીરના અંબાણી કહેવાતા આ વ્યક્તિનું નામ મુશ્તાક અહમદ ચાયા છે.
કોણ છે મુશ્તાક અહમદ ચાયા?
મુશ્તાક અહમદ ચાયાનો જન્મ એક સાધારણ પરિવારમાં થયો હતો. તેમણે 1984મા ગુલમર્ગની એક નાની હોટલથી પોતાનું કરિયર શરૂ કર્યું હતું. પર્યટન વ્યવસાયમાં તેમનો પ્રવેશ સફળ રહ્યો. આજે તેમની પાસે જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં 14 હોટલ અને 450 રૂમ છે. કાશ્મીરમાં પર્યટકોને હોટલ ભાડે આપી મોટી કમાણી કરી છે. તેમનો મુશ્કાલ હોટલ સમૂહ કાશ્મીર, જમ્મુ અને દિલ્હીમાં ફેલાયેલો છે. તેમની રેડિસન, એલટીએચ અને બ્લૂમ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડો સાથે ભાગીદારી પણ છે.
આ પણ વાંચોઃ જ્યારે પાકિસ્તાની સેનાએ ગુજરાતના મુખ્યમંત્રીની હત્યા કરી, 46 વર્ષ બાદ માંગી હતી માફી
ગ્રાન્ડ મુમતાઝ હોટલ્સની સ્થાપના
મુશ્તાક છાયાએ ગ્રાન્ડ મુમતાઝ હોટલ્સની સ્થાપના કરી. તેમના ગ્રુપની કાશ્મીર, જમ્મુ અને દિલ્હીમાં 14 હોટલ છે. તેમાં છ હોટલ પ્રતિષ્ઠિત રેડિસન બ્રાન્ડના માધ્યમથી સંચાલિત થાય છે. તે હોટલમાં શ્રીનગર સ્થિત રેડિસન કલેક્શન હોટલ એન્ડ સ્પા રિવરફ્રંટ પણ સામેલ છે. તેમાં 212 રૂમ છે. મુશ્તાક છાયા ન માત્ર એક સફળ ઉદ્યોગપતિ છે, પરંતુ તે સમાજસેવાના કાર્યોમાં પણ આગળ રહે છે. તેઓ જમ્મુ-કાશ્મીર હોટલિયર્સ ક્લબના અધ્યક્ષ છે. તેઓ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ રહી ચુક્યા છે.
કાશ્મીરમાં આતંકવાદ અને રાજકીય અસ્થિરતા
કાશ્મીરમાં આતંકવાદ અને રાજકીય અસ્થિરતા રહી છે. આ સ્થિતિમાં મુશ્તાક છાયાએ પોતાનો કારોબાર આગળ વધારવાનું શરૂ રાખ્યું. તેમની દૂરદર્શિતા અને જોખમ ઉઠાવવાની ક્ષમતાએ તેમને ન માત્ર સફળ ઉદ્યોગપતિ બનાવ્યા છે. પરંતુ કારોબારનો વિસ્તાર કર્યો અને સ્થાનીક લોકો માટે રોજગાર પણ ઉપલબ્ધ કરાવ્યો છે. તેથી તેમને કાશ્મીરના અંબાણી કહેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે