Home> India
Advertisement
Prev
Next

સ્ટડી: ભારતમાં હજુ કોરોનાનો 'વિનાશક' તબક્કો આવવાનો બાકી, આ મહિનામાં રોગચાળો હશે ચરમસીમાએ

ભારતમાં લોકડાઉન 3.0 શરૂ થઈ ગયુ છે. પરંતુ કોરોના વાયરસના આંકડા હજુ પણ સતત વધી રહ્યાં છે અને આ આંકડા ચરમસીમા એ પહોંચવાના હજુ બાકી છે. કોલકાતા સ્થિત ઈન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઓફ સાયન્સ (IACS)માં થયેલા એક અભ્યાસ મુજબ હાલ દેશમાં કોરોના વાયરસની મહામારી તેના વ્યાપક સ્તરે પહોંચી નથી પરંતુ આ વર્ષના જૂન મહિનાના અંત સુધીમાં તે ચરમસીમાએ હશે. 

સ્ટડી: ભારતમાં હજુ કોરોનાનો 'વિનાશક' તબક્કો આવવાનો બાકી, આ મહિનામાં રોગચાળો હશે ચરમસીમાએ

નવી દિલ્હી: ભારતમાં લોકડાઉન 3.0 શરૂ થઈ ગયુ છે. પરંતુ કોરોના વાયરસના આંકડા હજુ પણ સતત વધી રહ્યાં છે અને આ આંકડા ચરમસીમા એ પહોંચવાના હજુ બાકી છે. કોલકાતા સ્થિત ઈન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઓફ સાયન્સ (IACS)માં થયેલા એક અભ્યાસ મુજબ હાલ દેશમાં કોરોના વાયરસની મહામારી તેના વ્યાપક સ્તરે પહોંચી નથી પરંતુ આ વર્ષના જૂન મહિનાના અંત સુધીમાં તે ચરમસીમાએ હશે. 

fallbacks

અભ્યાસમાં એ વાત પણ જણાવવામાં આવી છે કે દેશભરમાં લોકડાઉનના કારણે મહામારીના ચરમસીમાએ પહોંચવાનો સમય એક મહિનો ટળી શક્યો છે જેથી કરીને કોરોનાને પહોંચી વળવા માટે સારા ઈન્તેજામ થઈ શકે. બાયો કોમ્પ્યુટેશનલ મોડલ પર આધારિત આ સ્ટડી જણાવે છે કે ભારતમાં જૂન મહિનાના અંત સુધીમાં લગભગ દોઢ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા છે. 

ચિંતાજનક સમાચાર: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3900 નવા કેસ, આંકડો 46 હજારને પાર

આ સ્ટડીમાં રિપ્રોડક્શન નંબરની મદદથી જણાવવામાં આવ્યું છે કે કોરોનાનું સંક્રમણ કેટલુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સ્ટડીમાં રિપ્રોડક્શન નંબર 2.2 જાણવા મળ્યો છે. જેનો અર્થ એ છે કે 10 લોકોથી આ સંક્રમણ સરેરાશ 22 લોકોમાં ફેલાઈ રહ્યો છે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય રીતે પાલન કરવાથી આ રિપ્રોડક્શન નંબર ઓછો થઈને 0.7 પર પહોંચવાની આશા છે.

જુઓ LIVE TV

આઈએસીએસના ડાયરેક્ટર શાંતનુ ભટ્ટાચાર્યે જણાવ્યું કે આ સ્ટડી સ્કૂલ ઓફ મેથમેટિકલ સાયન્સના સાયન્ટિસ્ટ રાજા પોલ અને તેમની ટીમે સસેપ્ટેબલ-ઈન્ફેક્ટેડ-રિક્વરી ડેથ (SIRD) મોડલ પર કર્યો છે. જેનાથી ભારતમાં કોરોનાની સ્થિતિનું આકલન કરી શકાય.

આ મોડલ મુજબ જો દેશમાં લોકડાઉનની સ્થિતિ ન હોત તો કોરોનાની આ મહામારી મે મહિનામાં ચરમસીમાએ હોત. લોકડાઉનના કારણે તેનાથી લગભગ 15 દિવસનો ફરક પડ્યો છે. એટલું જ નહીં આ મોડલે એ પણ જણાવ્યું છે કે જો 3 મેના રોજ લોકડાઉન સંપૂર્ણ ઉઠાવાયું હોત તો કોરોનાના સંક્રમણમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો હોત. 

ભારતમાં 25 માર્ચના રોજ લોકડાઉનની જ્યારે જાહેરાત થઈ ત્યારે દેશભરમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા લગભગ 657 હતી. જ્યારે જર્મનીમાં 22 માર્ચના રોજ જ્યારે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી તો ત્યાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા 25000 હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More