Home> LifeStyle
Advertisement
Prev
Next

ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે તો નથી કરતા'ને?

ખજૂર ફાઈબર, આયરન અને ઘણા જરૂરિ પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ખજૂરને યોગ્ય રીતે અને સમય પર ના ખાવાથી પણ આપણા સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસર પડે છે?

ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે તો નથી કરતા'ને?

ખજૂરને સુપરફૂડ માનવામાં આવે છે. ખજૂરમાં ફાઈબર, આયરન અને ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ખજૂરને યોગ્ય રીતે અને સમય પર ના ખાવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક બની શકે છે. સૌથી વધુ લોકો ખજૂર ખાવાનો યોગ્ય ટેકનિક જાણતા હોતો નથી અને ખાલી પેટ તેણે ખાઈ લે છે, જેના કારણે શરીરને ફાયદો થવાના બદલે નુકસાન થાય છે.

fallbacks

લોન્જેવિટી એક્સપર્ટ પ્રશાંત દેસાઈએ આ વિષય પર વિસ્તારથી જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે ખજૂર સહિત ચાર એવી ચીજો છે, જેણે ખાલી પેટ ખાવી જોઈએ નહીં. તેનું સેવન ખોટા સમય પર કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થવાના બદલે બીમારીઓને આમંત્રણ આપે છે.

ખાલી પેટ ખજૂર ખાવી કેમ છે ખતરનાક?
ખજૂરની અંદર લગભગ 90 ટકા શુગર હોય છે. ખાલી પેટ ખજૂર ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ અચાનક વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. તેના સિવાય ખાલી પેટ ખજૂર ખાવાથી પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે.

શું કરશો?
જો તમે ખજૂર ખાવા માંગો છો, તો તેણે ખાલી પેટ ના ખાવ. એક્સપર્ટ મુજબ, ખજૂરને દેશી ઘીની સાથે ખાવાથી તેની અસર શરીર પર સારી થાય છે. તેની સાથે બાદામ, કાજૂ જેવા નટ્સનું સેવન કરવું પણ ફાયદાકારક બની શકે છે.

સવારના સમયે આ ચીજો ના ખાવી જોઈએ..

1. ખાંડવાળી ચા અને કોફી
સવારના સમયે સૌથી પહેલા ખાંડવાળી ચા કે કોફી પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મનાતી નથી. ખાંડનું સેવન શરીરમાં ઈન્સુલિનની માાત્રાને પ્રભાવિત કરી શકે છે અને વજન વધારવાનું કારણ બની શકે છે. જેનું કારણ સ્ટીવિયા જેવા નોન  ન્યૂટ્રિટિવ સ્વીટનરનો ઉપયોગ કરો.

2. ચાની સાથે બિસ્કૂટ
ચામાં બિસ્કૂટ ડબોરીને ખાવાની ઘણા લોકોને આદત હોય છે. પરંતુ ખાલી પેટ આવું કરવું પાચન તંત્ર પર ખરાબ અસર કરી શકે છે. બિસ્કુટમાં રહેલા રિફાઈંડ શુગર અને ચરબી શરીર માટે હાનિકારક હોઈ શકે છે. તેના બદલે ઘીથી મસળીને ખાખરા ખાવા એ વધુ સારો વિકલ્પ છે.

3. માલ્ટ આધારિત ડ્રીંક
બજારમાં ઉપલબ્ધ માલ્ટ આધારિત પીણાં જે તાકાત અને સ્નાયુઓને વધારવાનો દાવો કરે છે. તે વાસ્તવમાં શરીર માટે બહુ ફાયદાકારક નથી. આમાં શુગર અને આર્ટિફિશિયલ ફ્લેવર્સની માત્રા વધુ હોય છે. બાળકોને હૂંફાળું દૂધ પીવડાવો અને તેમાં હળદર અથવા મધ ઉમેરો.

સ્વાસ્થ્ય સુધારવા માટે યોગ્ય આદતો અપનાવો

* સવારે ખાલી પેટ પાણી પીવું એ સારી આદત છે. તમે તેને થોડું હૂંફાળું બનાવી શકો છો.
* જો તમને નાસ્તામાં કંઈક મીઠી ખાવાની આદત હોય તો શરૂઆત મધ અને બદામથી કરો.
* દિવસની શરૂઆત કરવા માટે તાજા ફળો અને બદામનું સેવન કરવું એ વધુ સારો વિકલ્પ છે.

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More