Home> LifeStyle
Advertisement
Prev
Next

આયુર્વેદે 1000 વર્ષ પહેલા શોધી લીધી હતી કોલેસ્ટ્રોલ-સંધિવાની દવા, ઇનકાર નથી કરી શકતું સાયન્સ

Ayurveda: આયુર્વેદ સંપૂર્ણપણે વિજ્ઞાન પર આધારિત તબીબી પ્રણાલી છે. તેથી જ હજારો વર્ષ પછી પણ તેનો પ્રભાવ ઓછી થયો નથી. જે જડીબુટ્ટીનો પહેલા દવા તરીકે આચાર્યો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો આજે તેને વૈજ્ઞાનિકો પણ સ્વીકારી રહ્યા છે.

આયુર્વેદે 1000 વર્ષ પહેલા શોધી લીધી હતી કોલેસ્ટ્રોલ-સંધિવાની દવા, ઇનકાર નથી કરી શકતું સાયન્સ

Ayurveda: આયુર્વેદ વિશ્વની સૌથી જૂની ચિકિત્સા પ્રદ્ધતિઓમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે તેની શરૂઆત ભારતમાં 5000 વર્ષ પહેલાં થઈ હતી. હવે ફરીથી તેનું મહત્વ અને લાક્ષણિકતાઓને સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યાં તેને એક સમયે ફક્ત ઘરેલું ઉપચાર અને ધાર્મિક વિધિઓ સુધી મર્યાદિત માનવામાં આવતું હતું, આજે તે આધુનિક વિજ્ઞાનની કસોટીમાંથી પસાર થઈ રહ્યું છે.

fallbacks

આયુર્વેદ ફક્ત તેના જન્મસ્થળ ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં સ્વાસ્થ્ય અને સારવાર માટે એક અસરકારક વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા જેવા આયુર્વેદિક ગ્રંથોમાં આપવામાં આવેલી જડબુટ્ટીઓ અને સારવાર પદ્ધતિઓની વૈજ્ઞાનિક પુષ્ટિ પર સંશોધન થઈ રહ્યું છે અને પ્રકૃતિની શક્તિને વિજ્ઞાનની મંજૂરી મળી રહી છે. તમે અહીં ઉદાહરણો દ્વારા આ સમજી શકો છો.

'હવે રોકી દો...' રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું ઓપરેશન સિંદૂરને રોકવાનું સાચું કારણ

હળદર: દરેક ભારતીય રસોડામાં વપરાતો એક સામાન્ય મસાલો છે. પરંતુ આયુર્વેદમાં તે એક એવી દવા છે જેનો ઉપયોગ સંધિવા, અલ્ઝાઈમર, કેન્સર જેવી બીમારીઓને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોને સ્ટડીમાં જાણવા મળ્યું કે, તેમાં હાજર કર્ક્યુમિન તત્વ એક શક્તિશાળી એન્ટી-ઈન્ફલેમેટરી અને એન્ટીઑકિસડન્ટ છે.

અશ્વગંધા: જેને પ્રાચીન સમયમાં "રાસાયણ" કહેવામાં આવતું હતું, તે હવે સામાન્ય લોકોમાં તણાવ અને ચિંતા ઘટાડવા માટે એક એડાપ્ટોજેન તરીકે સામાન્ય લોકોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. રમતવીરો પણ તેનું સેવન પોતાનું ધ્યાન વધારવા અને મનને શાંત કરવા માટે કરી રહ્યા છે.

ત્રિફળા: ત્રણ ફળોમાંથી બનેલી આ ઔષધિ પાચન માટે જાણીતી છે અને હવે તેનો ઉપયોગ ડિટોક્સ અને ઓરલ હેલ્ધ માટે પણ કરવામાં આવી રહ્યો છે.

સાચી થઈ રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી! પૃથ્વીની તરફ આવી રહ્યું છે એલિયન શિપ

ઓયલ પુલિંગ: આયુર્વેદમાં ઓરલ હેલ્થને સુધારવા માટે ઓઈલ પુલિંગને લાંબા સમયથી પ્રેક્ટિસ કરવામાં આવી રહ્યું છે. એક સમયે ભારતીય ઘરોમાં સવારનો નિત્યક્રમ હતો. હવે વૈજ્ઞાનિકો પણ તેને દાંત અને પેઢા માટે ફાયદાકારક માને છે.

બ્રાહ્મી: એકાગ્રતા અને યાદશક્તિ સુધારવા માટે બ્રાહ્મીનો ઉપયોગ આયુર્વેદમાં ખૂબ જૂનો છે. હવે વૈજ્ઞાનિકો તેના ન્યુરોપ્રોટેક્ટીવ ગુણધર્મોને કારણે તેના પર સંશોધન કરી રહ્યા છે.

ગુગ્ગુલ: અગાઉ સાંધાના દુખાવા અને કોલેસ્ટ્રોલ માટે ઉપયોગમાં લેવાતું હતું, હવે તે લિપિડ પ્રોફાઇલને સંતુલિત કરવામાં અસરકારક માનવામાં આવે છે.

આજથી શનિ-મંગળ કરશે તહસનહસ, 13 સપ્ટેમ્બર સુધી આ 3 રાશિઓની મુશ્કેલીમાં થશે વધારો!

લીમડો: આ એક સામાન્ય વૃક્ષ છે, જે ઘરની આસપાસ સરળતાથી મળી આવે છે. તેના પાંદડા કડવા હોય છે, જેના કારણે તેનો ઉપયોગ થતો ન હતો. પરંતુ આયુર્વેદમાં તેના ફાયદા જાણ્યા પછી, હવે તેનો ઉપયોગ સ્કિન કેર અને ડેન્ટલ પ્રોડક્ટ્સમાં વ્યાપકપણે થઈ રહ્યો છે.

Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, તબીબી સલાહ લો. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More