Home> LifeStyle
Advertisement
Prev
Next

રાત્રે સ્નાન કરવું જોઈએ કે નહીં, જાણો શું છે ફાયદા અને ગેરફાયદા?

Bathing Tips: ઉનાળાની ઋતુમાં રાત્રે સ્નાન કરવું એ ઘણા લોકો માટે રાહતનો અનુભવ હોઈ શકે છે. આપણી વચ્ચે એવા ઘણા લોકો હશે જેઓ રાત્રે સૂતા પહેલા ચોક્કસપણે સ્નાન કરશે, જેનાથી તેમના શરીરમાં તાજગી આવે છે.

રાત્રે સ્નાન કરવું જોઈએ કે નહીં, જાણો શું છે ફાયદા અને ગેરફાયદા?

Bathing Tips: ઘણા લોકોને રાત્રે સ્નાન કરવાની આદલ હોય છે. આપણામાંથી ઘણા લોકો રાત્રે સૂતા પહેલા જરૂર સ્નાન કરે છે, જેથી શરીરની અંદર ફ્રેશનેશ આવે છે અને તે તાજગી અનુભવે છે. પરંતુ શું તમે જાણો છે કે ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે રાત્રે સ્નાન કરવાના ઘણા ફાયદા હોય છે અને નુકસાન પણ. આજે અમે તમને આ આર્ટિકલમાં રાત્રે સ્નાન કરવાના ફાયદા અને નુકસાન વિશે જણાવીશું.

fallbacks

ફાયદા શું છે?
તાજગી

ગરમીની સીઝનમાં ખાસ કરીને આખો દિવસ પરસેવો આવે છે. તેવામાં રાત્રે સ્નાન કરવાથી શરીરને તાજગી મળે છે અને ઠંડકનો અનુભવ થાય છે.

સારી ઊંઘ
ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરનું તાપમાન ઘટે છે, જેનાથી ઊંઘમાં સુધાર થઈ શકે છે અને તમે સારી રીતે સૂઈ શકો છો. 

સાફ સફાઈ
દિવસભરની ધૂળ-માટી અને પરસેવાને સાફ કરવા માટે સ્નાન જરૂરી છે. જેનાથી તમારી ત્વચા અને સ્વાસ્થ્ય બંને ઠીક થઈ શકે છે.

આ પણ વાંચોઃ કોણે ખાવી જોઈએ વાસી રોટલી, ફાયદા જાણ્યા બાદ તમે તાજી રોટલી ખાતાં પહેલા વિચાર કરશો

નુકસાન શું છે?
અચાનક તાપમાનમાં ફેરફાર

જો તમે ખુબ ગરમ જગ્યાએથી આવી અચાનક ઠંડા પાણીથી સ્નાન કરો છો તો તે તમારા શરીરના તાપમાનને અચાનક ઘટાડી શકે છે, જેનાથી શરદી-ઉધરસ અને તાવ આવી શકે છે. 

ત્વચાની સમસ્યાઓ
રાત્રે સ્નાન કરવાથી ક્યારેક-ક્યારેક ત્વચાનો ભેજ ઘટી શકે છે, જેનાથી ત્વચા ષુષ્ક બની શકે છે. 

સ્વાસ્થ્ય સમસ્યાઓ
કેટલાક લોકો માટે રાત્રે સ્નાન કરવું યોગ્ય હોતું નથી, ખાસ કરી જે લોકો અસ્થમા કે અન્ય શ્વસન સમસ્યાઓથી પીડિત હોય છે. 

આ વાતનું રાખો ધ્યાન
જો તમે રાત્રે સ્નાન કરો છો તો પ્રયાસ કરો કે વધુ ઠંડા પાણીથી સ્નાન ન કરો.
સ્નાન કરવાનો સમય ધ્યાનમાં રાખો. રાત્રે વધુ મોડા સ્નાન ન કરો.
સ્નાન કર્યા બાદ શરીર સંપૂર્ણ રીતે સૂકાય જાય તે રીતે સાફ કરો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More