Reheating Leftover Food: આજના સમયમાં લોકોનું જીવન ઘડિયાળના કાંટે ચાલે છે. દોડધામ ભરેલી જીવન શૈલીના કારણે ઘણા ઘરોમાં સવારે જ રસોઈ બની જાય છે. ત્યાર પછી જ્યારે જમવાનું હોય ત્યારે ભોજન ગરમ કરીને તેને ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય ઘણી વખત દાળ, ભાત, શાક વધે છે જેનો ઉપયોગ બીજા દિવસે કે સાંજે કરવાનો હોય તો પણ તેને ફરીથી ગરમ કરવામાં આવે છે. ભોજનને ફરીથી ગરમ કરતી વખતે કેટલીક ભૂલ કરવાનું ટાળવું જોઈએ. આ ભૂલ કરવાથી શરીર પર ખરાબ અસર થાય છે. આજે તમને જણાવીએ કેટલીક એવી બાબતો વિશે જેને ભોજન ગરમ કરતી વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે.
આ પણ વાંચો: Ghee: ઘરે શુદ્ધ ઘી બનાવવાની આ છે રીત, માખણ અને ઘી બજારમાંથી ખરીદવું નહીં પડે
ભોજનને વારંવાર ગરમ કરવું
રસોઈ એક વખત ગરમ કરીને તમે ઉપયોગમાં લ્યો તો તે સામાન્ય છે. પરંતુ એક ને એક વસ્તુને વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેશો તો તેમાં રહેલા પોષક તત્વો નષ્ટ થઈ જશે. સાથે જ વારંવાર વસ્તુને ઉકાળવાથી તેનો સ્વાદ પણ ખરાબ થવા લાગે છે. તેથી જેટલી જરૂર હોય એટલી જ માત્રામાં વસ્તુ લઈને તેને ગરમ કરી ઉપયોગમાં લઈ લો.
આ પણ વાંચો: Weight Loss: ઓછી મહેનત અને ઓછા સમયમાં ઘટશે વજન, ડાયટમાં સામેલ કરી લો આ 5 સુપરફુડ
પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ
રસોઈ ગરમ કરવા માટે માઇક્રોવેવનો ઉપયોગ સૌથી વધારે થાય છે. માઇક્રોવેવમાં રસોઈ ગરમ કરતી વખતે ભૂલ એ કરવામાં આવે છે કે તેમાં પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થાય છે. પ્લાસ્ટિકના હાનિકારક કેમિકલ ભોજનમાં ભળી જાય છે અને શરીરને નુકસાન કરે છે. તેથી માઇક્રોવેવમાં પ્લાસ્ટિકના બદલે કાચના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ
આ પણ વાંચો: થોડા રવામાંથી બનશે ઢગલો પુરી, આ સ્ટેપ ફોલો કરી લોટ બાંધી પુરી તળશો તો પુરી કડક થશે
એક જ તેલનો વારંવાર ઉપયોગ
ઘણા લોકોના ઘરમાં તળેલા ફરસાણ વધારે બને છે. એક વખત ઉપયોગમાં લીધેલા તેલનો ઉપયોગ વારંવાર કરવાથી પણ નુકસાન થાય છે. જે તેલમાં એક કરતાં વધારે વસ્તુઓ તળવામાં આવી હોય તેમાં ટ્રાન્સફેટ વધી જાય છે. તેથી આ તેલને રસોઈમાં વાપરવું હાનિકારક છે.
આ પણ વાંચો: મચ્છર ઘરમાં આવશે અને ટપોટપ મરશે, રાત્રે દેખાતા જંતુઓનો સફાયો કરવાનો સૌથી સરળ રસ્તો
શાકને ફરીથી ગરમ કરવું
પાલક, બીટ, બ્રોકલી જેવા શાકભાજી જો તમે ફરીથી ગરમ કરશો તો તેમાં રહેલા પોષકતત્વો હાનિકારક તત્વમાં બદલી જાય છે. તેથી આ શાકને જ્યારે બનાવો ત્યારે જ ઉપયોગમાં લઈ લો અથવા તો જ્યારે ઉપયોગમાં લેવું હોય ત્યારે જ બનાવો તેને ફરીથી ગરમ કરવાનું ટાળો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે