Morning Routine Tips: જો વ્યક્તિનું મનનું શુદ્ધ અને વિચાર સારા હોય તો તેના બધા કાર્ય સફળ થાય છે. તેથી જ કહેવાય છે કે સવારે જાગીને એવા કામ કરવા જોઈએ જેનાથી તન અને મન શાંત અને સ્વસ્થ રહે. એવું માનવામાં આવે છે કે દિવસની શરૂઆત સારી હોય તો દિવસમાં જે પણ કામ કરવામાં આવે તેના પરિણામ પણ સારા આવે છે. આપણો દિવસ અને આપણા કામ કેવા જશે તેનો આધાર સવાર કેવી છે તેના પર હોય છે. જો તમે આખો દિવસ ખુશ રહેવા માંગો છો અને દરેક કામમાં સફળ થવા માંગો છો તો દિવસની શરૂઆત આ કામથી કરવી જોઈએ.
આ પણ વાંચો: Vitamin E ની કેપ્સુલ આ વસ્તુઓ સાથે મિક્સ કરી લગાડો સ્કિન પર, લટકતી સ્કિન પણ ટાઈટ થશે
દિવસની શરૂઆત તમે આ કામોથી કરશો તો આખો દિવસ અને મન પ્રસન્ન રહેશે. મોટાભાગના લોકો દિવસની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ તે જાણતા નથી. તો ચાલો આજે તમને જણાવીએ કે દિવસની શરૂઆત કયા કામથી કરવામાં આવે તો આખો દિવસ સારો જાય છે.
આ પણ વાંચો: Pimples: એકવાર ખીલ મટશે પછી પાછા નહીં થાય ક્યારેય, અજમાવી જુઓ આ 10 ટીપ્સ
સકારાત્મક વિચાર સાથે શરૂઆત
જો સવારે જાગો ત્યારે ચહેરા પર ઉદાસી અને આંખમાં આંસુ હશે તો દિવસ પણ ખરાબ જ જશે. તેથી સવારે જાગો એટલે સૌથી પહેલા મનમાં સકારાત્મક વિચાર લાવો. પોતાની જાતને કહો કે આજે દિવસ સારો રહેશે અને બધા જ કામ સારી રીતે સમયસર પુરા થશે. આ એક વાક્ય તમારા આત્મવિશ્વાસને વધારી દેશે.
આ પણ વાંચો: Tanning : તડકાના કારણે થયેલું ટેનિંગ સાફ કરવા ટમેટામાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો
ઊંડા શ્વાસ લેવા અને ધ્યાન કરવું
જાગીને પાંચ મિનિટ પથારીમાં બેસવું અને ઊંડા શ્વાસ લેવા અને છોડવાની એક્સરસાઇઝ કરવી. સાથે જ ધ્યાન કરવું. તેનાથી મન શાંત થશે અને તમે સ્ટ્રેસ ફ્રી અનુભવ કરશો.
સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવું
સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવાની આદત પાડો. રાત્રે સુતા પછી આપણું શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે તેથી સવારે જાગીને સૌથી પહેલા એક ગ્લાસ પાણી પીવું. તેનાથી શરીરને એનર્જી મળે છે અને પાચન ક્રિયા સુધરે છે.
આ પણ વાંચો: 3 નેચરલ વસ્તુથી બનાવો નેચરલ હેર કલર, માથામાં લગાડતાં જ સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે
એક્સરસાઇઝ કરવાનું ન ભૂલો
સવારે જાગીને 30 મિનિટનો સમય કાઢીને યોગ અથવા તો એક્સરસાઇઝ જરૂરથી કરો. જે પણ એક્સરસાઇઝ ઘરમાં કરવી શક્ય હોય તેને કરીને દિવસની શરૂઆત કરો તેનાથી શરીર અને મન ફ્રેશ થઈ જશે અને શરીરમાં હેપી હોર્મોન રિલીઝ થશે.
આ પણ વાંચો: પોરબંદરની એકદમ નજીક આવેલો છે આ સુંદર દરિયોકિનારો, વિદેશથી લોકો આવે છે અહીં ફરવા
હેલ્ધી નાસ્તો કરો
સવારનો નાસ્તો શરીર માટે ઇંધણનું કામ કરે છે તેથી નાસ્તો ક્યારેય સ્કીપ કરવો નહીં. નાસ્તાથી જ શરીરને કામ કરવાની એનર્જી મળે છે અને મૂડ પણ સારો રહે છે તેથી પ્રયત્ન કરો કે સવારે ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર નાસ્તો કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે