Home> LifeStyle
Advertisement
Prev
Next

કરણ જોહરના આ ડાયટ પ્લાનને ફોલો કરશો તો ઝડપથી ઘટી જશે વજન, બસ જાણી લો સાચી રીત

બોલીવુડના દિગ્દર્શક કરણ જોહરે અચાકન વજન ઘટાડી પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. આવો અમે તમને જણાવીશું કે કરણ જોહરે કઈ રીતે પોતાનું વજન ઘટાડ્યું છે.

 કરણ જોહરના આ ડાયટ પ્લાનને ફોલો કરશો તો ઝડપથી ઘટી જશે વજન, બસ જાણી લો સાચી રીત

Weight Loss Tips: બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહર તાજેતરમાં પોતાના ઓછા વજનને કારણે ચર્ચામાં છે. કરણ જોહરના અચાનક ઘટી ગયેલા વજને તેના ફેન્સને ચોંકાવી દીધા છે. તેવામાં ઘણા ફેન્સ તે જાણવા આતૂર છે કે આખરે કરણ જોહરે આટલા ટૂંક સમયમાં કઈ રીતે પોતાનું વજન ઘટાડ્યું છે. હવે કરણ જોહરે પોતાના ઘટેલા વજનને લઈને વાત કરી અને તેની પાછળ રહેલા કારણનો પણ ખુલાસો કર્યો છે.

fallbacks

કઈ રીતે ઘટ્યું કરણ જોહરનું વજન?
કરણ જોહરે તાજેતરમાં રાજ શમાનીના લોકપ્રિય યૂટ્યૂબ પોડકાસ્ટ ફિગરિંગ આઉટના એક એપિસોડ દરમિયાન પોતાના વજન ઘટાડવાના વિવાદ પર વાત કરી છે. આ વાતચીતમાં કરણે OMAD ડાયટ વિશે જણાવ્યું છે. OMAD ડાયટ એક પ્રકારનું ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ ડાયટ છે. આવો જાણીએ આ ડાયટ સાથે જોડાયેલી જાણકારી.

શું છે OMAD ડાયટ?
એટલે કે 'વન મીલ અ ડે' (One Meal a Day), એટલે કે દિવસમાં માત્ર એક વખત ભોજન. આ એક પ્રકારનું ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ છે, જેમાં વ્યક્તિ 23 કલાક ઉપવાસ કરે છે અને પછી એક કલાકમાં પોતાનું ભોજન કરે છે. એટલે કે તમે દિવસમાં માત્ર એક કલાક ખાઈ શકો છો, બાકીની 23 કલાક ઉપવાસમાં રહો છો. આ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનું એક રૂપ છે, જે કેલેરી સેવનને સીમિત કરે છે અને શરીરને વસા સળગાવવા માટે પ્રેરિત કરે છે.

આ પણ વાંચોઃ રાત્રે કરી લો બસ આ એક કામ, આંખો બંધ કરતાની સાથે જ તમને ઊંઘ આવી જશે!

વજન ઘટાડવામાં મદદરૂપ
OMAD ડાયટ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, કારણ કે તે કેલેરી સેવનને ઘટાડે છે અને શરીરને વસા સળગાવવા માટે પ્રેરિત કરે છે. આ ડાયટથી મેટાબોલિઝ્મમાં સુધાર, શરીરની સફાઈ અને ઇંસુલિન સંવેદનશીલતામાં સુધાર જેવા ફાયદો થઈ શકે છે. તમે ધીમે-ધીમે OMAD ડાયટ શરૂ કરી શકો છો. પહેલા એક દિવસમાં બે વખત ભોજન અને પછી ધીમે-ધીમે એક વખત ભોજન. પરંતુ આ ડાયટ શરૂ કરતા પહેલા કોઈ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. દરેક માટે આ યોગ્ય સાબિત ન થઈ શકે, ખાસ કરી ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More