Litchi Khane ke Nuksan: લીચી એક સ્વાદિષ્ય ફ્રુટ છે અને અનેક લોકો તેને ખાવાનું પસંદ કરે છે. લીચીમાં જોવા મળતા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી અને વિટામિન બી-કોન્પ્લેક્સથી ભરપૂર હોય છે. લીચીમાં પોલીફેનોલ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ ફ્લેવોનોઈડ્સ હોય છે. લીચીમાં ફાઈબર અને વિટામિન બી-કોમ્પ્લેક્સ, ચરબી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા ચયાપચય માટે જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે આટલા બધા પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં, લીચીનું સેવન કેટલાક લોકો માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કે કયા લોકોએ લીચી ન ખાવી જોઈએ.
લીચી ખાવાના નુકસાન ( Disadvantage of Eating Litchi)
હાઈપોગ્લાયકેમિઆ
લીચીમાં એવા ગુણધર્મો છે જે ખાંડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટી શકે છે. જે હાઈપોગ્લાયકેમિઆનું જોખમ વધારી શકે છે.
લીચીનો ગરમ સ્વભાવ
લીચી સ્વાદમાં મીઠી અને સ્વાદિષ્ટ હોય છે, પરંતુ ચીની સંસ્કૃતિ અનુસાર, લીચીનો સ્વભાવ ગરમ હોય છે. તેથી, તેને વધુ પડતું સેવન કરવાથી નાકમાંથી લોહી નીકળવું, ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આ પણ વાંચોઃ કોલેસ્ટ્રોલ વધે તો શરીરના આ 3 ભાગમાં થાય છે જોરદાર દુખાવો, તત્કાલ રિપોર્ટ કરાવો
વજન વધારો
જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો લીચીનું વધુ પડતું સેવન તમારા માટે વજન વધારી શકે છે. તેમાં કેલરી વધુ હોય છે, તેથી તેના વધુ પડતા સેવનથી વજન વધી શકે છે.
એલર્જીનું કારણ બને છે
લીચીના વધુ પડતા સેવનથી ઘણા લોકોને એલર્જીની સમસ્યા થઈ શકે છે. જો લીચીના સેવનથી એલર્જી હોય, તો ખંજવાળ, ફોલ્લીઓ, હોઠ અને જીભમાં સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે