Home> LifeStyle
Advertisement
Prev
Next

Weight Loss: ફુલીને ફુગ્ગા જેવું થયેલું પેટ ઝડપથી થઈ જશે આટલું ફ્લેટ, આ સમયે લીલું નાળિયેર પીવાનું શરુ કરી દો

Weight Loss: આજે તમને આ સમસ્યાનું સમાધાન જણાવી દઈએ. આજે તમને બેલીફેટ ઘટાડવાની એવી ટિપ્સ જણાવીએ જેને બોલીવુડ સેલિબ્રિટી પણ ફોલો કરે છે. તમે જોયું જ હશે કે બોલીવુડ સેલિબ્રિટી પોતાની ફિટનેસનું કેટલું ધ્યાન રાખતા હોય છે. તેઓ પણ ફ્લેટ ટમી માટે આ ઉપાય અજમાવે છે. 

Weight Loss: ફુલીને ફુગ્ગા જેવું થયેલું પેટ ઝડપથી થઈ જશે આટલું ફ્લેટ, આ સમયે લીલું નાળિયેર પીવાનું શરુ કરી દો

Weight Loss: વધેલું વજન અનેક લોકો માટે સમસ્યા હોય છે. વધેલું વજન સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. હદ કરતાં વધારે વજન હોય તો તેનાથી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર સહિતની બીમારી થાય છે અને હાર્ટ અટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય જો પેટ અને કમરની આસપાસ ચરબી જામી જાય તો તે બોડીશેપને પણ ખરાબ કરે છે. શરીરનો આકાર જો ગોળ મટોળ થઈ જાય તો કોન્ફિડન્સ પણ લો થઈ જાય છે. જે લોકોનું વજન આ રીતે વધી ગયું હોય. તેઓ ઝડપથી પેટની અને કમરની ચરબી કેવી રીતે ઘટે તેના ઉપાય શોધતા હોય છે. 

fallbacks

આજે તમને આ સમસ્યાનું સમાધાન જણાવી દઈએ. આજે તમને બેલીફેટ ઘટાડવાની એવી ટિપ્સ જણાવીએ જેને બોલીવુડ સેલિબ્રિટી પણ ફોલો કરે છે. તમે જોયું જ હશે કે બોલીવુડ સેલિબ્રિટી પોતાની ફિટનેસનું કેટલું ધ્યાન રાખતા હોય છે. તેઓ પણ ફ્લેટ ટમી માટે આ ઉપાય અજમાવે છે. 

આ પણ વાંચો: ફક્ત 10 રૂપિયામાં ઘરે જ મળશે પાર્લર જેવો ગ્લો, ચહેરા પર લગાડો આ 5 માંથી કોઈ 1 વસ્તુ

નેચરલ ડ્રિંક ઘટાડશે પેટની ચરબી

જો પેટ ફૂલીને ફુગ્ગા જેવું થઈ ગયું હોય તો નાળિયેર પાણીની મદદથી તેને ફ્લેટ કરી શકાય છે. એટલે કે પેટ અને કમરની ચરબીને ઘટાડી શકાય છે. નાળિયેર પાણી એવું નેચરલ ડ્રિંક છે જે શરીર માટે ફાયદાકારક છે. નાળિયેર પાણી અનેક લોકોને ભાવે છે પરંતુ તેનાથી થતા ફાયદાથી અજાણ લોકો તેનો લાભ લઈ શકતા નથી. ખાસ કરીને વજન ઘટાડવું હોય તો નાળિયેર પાણી ઉપયોગી અને અસરકારક સાબિત થાય છે. 

આ પણ વાંચો: Skin Care: શરીરમાં આ 2 વિટામિન ઓછા હોય તો સ્કિન થવા લાગે કાળી, ચહેરો થઈ જાય ખરાબ

નાળિયેર પાણીથી થતા લાભ

નાળિયેર પાણી પીવાથી શરીરને વિટામીન, મિનરલ્સ અને નેચરલ એન્જાઈમ મળે છે. તેનાથી બોડી હાઇડ્રેટ અને ફ્રેશ રહે છે. નાળિયેર પાણીમાં સુગર ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પીવા યોગ્ય છે. નાળિયેર પાણી પીવાથી મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે અને પાચન સુધરે છે. દિવસમાં એક વખત તમે નાળિયેર પાણી પી લેશો તો કલાકો સુધી પેટ ભરેલું રહેશે જેના કારણે ઓવર ઈટિંગ કરવાથી બચી જવાય છે પરિણામે ધીરે ધીરે ચરબી પણ ઘટવા લાગે છે. 

આ પણ વાંચો: Rain Insects: બારી-દરવાજા ખુલ્લા હશે તો પણ ઘરમાં નહીં ઘુસે પાંખવાળી જીવાત, કરો આ કામ

કયા સમયે પીવું નાળિયેર પાણી ?

નાળિયેર પાણી કોઈપણ સમયે પીવો તો તે સ્વાસ્થ્યને ફાયદો જ કરે છે. પરંતુ જો તમારે ખાસ વજનને ટાર્ગેટ કરવા માટે નાળિયેર પાણી પીવું હોય તો આ નેચરલ ડ્રિન્કને સવારે ખાલી પેટ પીવાનું રાખો. સવારે જાગીને ખાલી પેટ એક ગ્લાસ નાળિયેર પાણી પી લેવું. આમ કરવાથી દિવસભર માટેની એનર્જી પણ મળશે અને વજન પણ ઝડપથી ઘટવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More