Home> LifeStyle
Advertisement
Prev
Next

Weight Loss Tips: આ દાળ ખાઓ, ગણતરીના દિવસોમાં પેટની ચરબી ઓગળી જશે, જીદ્દી ચરબી પણ દૂર થશે

Weight Loss Tips: દાળ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક ગણાય છે. દાળનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષણ મળે છે. જો તમે વજનની સમસ્યાથી પીડાતા હોવ તો તમારે આ દાળ ખાવી જોઈએ. જાણો તેના ફાયદા. 

Weight Loss Tips: આ દાળ ખાઓ, ગણતરીના દિવસોમાં પેટની ચરબી ઓગળી જશે, જીદ્દી ચરબી પણ દૂર થશે

દાળ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક ગણાય છે. દાળનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષણ મળે છે. છોતરાવાળી મગની દાળ સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. આ દાળના સેવનથી બેલી ફેટ પણ ઓછી થાય છે. મગની દાળનું સેવન કેવી રીતે કરવું અને તેના ફાયદા વિશે ખાસ જાણો. 

fallbacks

મગની દાળમાં પોષક તત્વો
એનસીબીઆઈના જણાવ્યાં મુજબ મગની દાળમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. મગની દાળમાં આયર્ન, વિટામીન બી6, ફાઈબર, કોપર, અને મેગ્નેશિયમ મળી આવે છે. દાળમાં રહેલા ફાઈબર આંતરડા માટે ખુબ સારા છે. દાળનું સેવન કરવાથી આંતરડાની ગંદકી સાફ થાય છે. 

વજન
છોતરાવાળી મગની દાળ (લીલી મગની દાળ)નું સેવન કરવાથી શરીરમાં કોલેસિસ્ટોકાઈનિન હાર્મોન વધે છે. જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી. આવામાં વજન ઓછું કરવા માટે છોતરાવાળી મગની દાળ ખુબ ફાયદાકારક સાબિત થાય છે. છોતરાવાળી મગની દાળનું સેવન કરવાથી મેટાબોલિઝમ પણ વધે છે. 

ઓવરઈટિંગથી બચાવ
મગની દાળની ચાટ, સૂપ, કે સલાડ વગેરેનું સેવન કરવાથી બોવેલ મૂવમેન્ટ સુધરે છે. જ્યારે મગની દાળ પાચન માટે પણ ખુબ સારી છે. મગની દાળ ખાવાથી પેટ ભરેલું રહે છે અને તેના ભારને કારણએ તમે ઓવરઈટિંગની સમસ્યાથી બચી શકો છો. 

એનર્જી
મગની દાળમાં વિટામીન અને મિનરલ્સ મળી આવે છે જેના કારણે શરીરના એનર્જી લેવલને વધારવામાં તે કામ આવે છે. રોજ મગની દાળનું સેવન કરવાથી તમે આખો દિવસ એનર્જેટિક મહેસૂસ કરશો. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More