Home> LifeStyle
Advertisement
Prev
Next

Hair Oil વારંવાર ચેન્જ કરો છો? જાણો કેવી રીતે પહોંચાડી રહ્યું છે વાળને નુકસાન

વાળ (Hair) ને સુંદર અને તંદુરસ્ત રાખવા માટે તમે તમામ પ્રકારના ઉપાય કરો છો, ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરો છો અને વાળનું તેલ (Hair Oil) વારંવાર બદલો છો, પરંતુ ઘણી વખત તેનાથી ફાયદો થતો નથી

Hair Oil વારંવાર ચેન્જ કરો છો? જાણો કેવી રીતે પહોંચાડી રહ્યું છે વાળને નુકસાન

નવી દિલ્હી: વાળ (Hair) ને સુંદર અને તંદુરસ્ત રાખવા માટે તમે તમામ પ્રકારના ઉપાય કરો છો, ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરો છો અને વાળનું તેલ (Hair Oil) વારંવાર બદલો છો, પરંતુ ઘણી વખત તેનાથી ફાયદો થતો નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વારંવાર વાળનું તેલ બદલવાથી તમારા વાળને ફાયદો થતો નથી, તે નુકસાન કરે છે. તેનાથી વાળ ખરવાની સમસ્યા વધુ વધી શકે છે.

fallbacks

સ્કેલ્પને વધારે જોરથી ઘસશો નહીં
તેલ વાળ માટે કન્ડિશનરનું કામ કરે છે અને વાળને મજબૂત બનાવે છે. વાળમાં તેલ લગાવવાથી તમારા વાળમાં તાકાત અને ચમક આવે છે. આ સાથે તમારા વાળ સૂર્યના હાનિકારક કિરણોથી પણ સુરક્ષિત રહે છે. તેલ લગાવતી વખતે સ્કેલ્પને વધારે જોરથી ઘસશો નહીં. તેને એક કલાકથી વધુ સમય સુધી તમારા વાળ પર ના રહેવા દો. જો વાળમાં લાંબા સમય સુધી તેલ રાખવામાં આવે તો તે છિદ્રોને બંધ કરે છે. આને કારણે, સ્કેલ્પમાં દાણા, ખીલ થઈ શકે છે, જેના કારણે વાળ ખરવા લાગે છે.

જો તમને ડેન્ડ્રફની સમસ્યા હોય તો તેલ ન લગાવો કારણ કે, ડેન્ડ્રફને કારણે સ્કેલ્પ ઓઇલી થઈ જયા છે અને તેથી તેલ લગાવવાથી વાળને ફાયદો થતો નથી.

આ પણ વાંચો:- વરસાદથી પાણી-પાણી થયું દિલ્હી, ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી, તળાવમાં ફેરવાયું એરપોર્ટ

વારંવાર તેલ બદલવાથી ખરવા લાગે છે વાળ
વાળમાં તેલની માલિશ કરવાથી સ્કેલ્પમાં લોહીનું પરિભ્રમણ વધે છે, તે વાળના ફોલિકલ્સને સ્ટિમૂલેટ કરે છે. વાળના સ્વાસ્થ્ય માટે હેર ઓલિંગ સારું છે, પરંતુ વારંવાર તેલ બદલશો નહીં. વાળના તેલમાં રહેલા ફેટી એસિડ વાળને તંદુરસ્ત રાખે છે, પરંતુ જો કોઈ પણ તેલનો ઉપયોગ કર્યા પછી પણ તમારા વાળ ખરતા બંધ નથી થતા, તો તેનો અર્થ એ કે વાળને સંપૂર્ણ પોષણ મળતું નથી.

નાળિયેર તેલ વાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સિવાય લોકો આમળા અને ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરે છે.

આ પણ વાંચો:- સ્વાસ્થ્ય માટે વરદાન છે આ ગ્રીન જ્યૂસ, દિવસની શરૂઆત તેનાથી કરશો તો મળશે ઘણા ફાયદા

દરેકના વાળને અનુકૂળ નથી નાળિયેર તેલ
અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે નારિયેળનું તેલ દરેકના વાળને અનુકૂળ નથી અને જો તમે તેને લગાવો તો વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. જો તમારા વાળનું ટેક્સચર ઘણું પાતળું હોય અથવા વાળ ખૂબ નબળા હોય તો નાળિયેર તેલનો ઉપયોગ ન કરો. ઓલિવ તેલ એક સારો વિકલ્પ હશે.

જ્યારે તમે વારંવાર તેલ બદલો છો, તો તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ વધી શકે છે. દરેકના વાળનું ટેક્સચર અલગ છે. વાળનું તેલ પસંદ કરતી વખતે, વાળની ​​રચના પર ધ્યાન આપો. જ્યારે તેલ તમને અનુકૂળ આવે ત્યારે તેને બદલશો નહીં. તેનો જ ઉપયોગ કરો.

આ પણ વાંચો:- મોટાભાગે હાર્ટ એટેક સવારના સમયે જ કેમ આવે છે? આ રહ્યું તેનું કારણ, ખાસ જાણો

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલુ ઉપચાર અને સામાન્ય ધારણાઓ પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આ પ્રિસ્ક્રિપ્શનોની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More