Home> LifeStyle
Advertisement
Prev
Next

શું તમને પણ પનીર બહુ ભાવે છે? ખાતા પહેલાં એકવાર જરૂર વાંચી લેજો આ મહત્ત્વની જાણકારી

Health Care Tips: ઘણાં લોકોને પનીર અતિ પ્રિય હોય છે. વારે તહેવારે કે પછી આડા દિવસે લોકો પનીર ખાવાનું ખુબ પસંદ કરતા હોય છે. જો તમે પણ પનીરના શોખીન હોવ તો આ વાત તમારા માટે જાણવી જરૂરી છે.

શું તમને પણ પનીર બહુ ભાવે છે? ખાતા પહેલાં એકવાર જરૂર વાંચી લેજો આ મહત્ત્વની જાણકારી

નવી દિલ્હીઃ આજના સમયમાં, દરેક વસ્તુમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, પછી ભલે તે બજારમાં ઉપલબ્ધ મીઠાઈઓ હોય, ઘી કે દૂધ હોય. આપણે ત્યાં દરેકમાં ભેળસેળ જોવા મળે છે. પનીરમાં ભેળસેળ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમને પનીર ખાવાનો પણ શોખ છે, તો આ સમાચાર તમારા ઉપયોગમાં છે.

fallbacks

પનીરનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. સામાન્ય રીતે પનીરની તેજ જોઈને આપણે સરળતાથી અનુમાન લગાવી શકતા નથી કે તે વાસ્તવિક છે કે નકલી, પરંતુ તે ખાધા પછી આપણે તેના સ્વાદથી જાણી શકીએ કે પનીરમાં ભેળસેળ કરેલી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખરીદતી વખતે કેવી રીતે ચકાસી શકીએ?...પનીર એ એક દુધમાંથી મેળવવામાં આવતું ઉત્પાદન છે. આ ચીઝ (cheese)નો જ એક પ્રકાર છે, જેનો ભારતીય ઉપમહાદ્વીપમાં ખોરાક તરીકે બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

પનીર અસલી છે કે નકલી, આ રીતે જાણો?

1- પહેલી ટીપ્સ:
તમારા હાથમાં પનીરનો ટુકડો કાપવાનો પ્રયાસ કરો. જો પનીર તૂટી પડવા માંડે છે તો પનીર બનાવટી છે, કારણ કે તેમાં હાજર સ્કિમ્ડ મિલ્ક પાવડર વધારે દબાણ સહન કરી શકતું નથી, તેથી તે મસળવાથી પર અલગ થવા લાગે છે.

2- બીજી ટીપ્સ:
પનીરને પાણીમાં ઉકાળો અને તેને ઠંડુ કરો. હવે તેના પર થોડા ટીપાં આયોડિન ટિંકચર નાખો. આ કર્યા પછી, જો પનીરનો રંગ વાદળી થઈ જાય છે, તો પછી તે પનીર ભેળસેળ યુક્ત છે અને તમારે તેને ખાવાનું ટાળવું જોઈએ.

3- ત્રીજી ટીપ્સ:
અસલી પનીર કડક નથી હોતું. જ્યારે  જ્યારે ભેળસેળ કરેલી પનીર કડક હોય છે અને જમતી વખતે રબરની જેમ ખેંચાય છે.

આ ત્રણ પદ્ધતિઓથી, તમે પનીરની અસલી છે કે નકલી તેની ઓળખ કરી શકશો. જેથી પનીર ખરીદતી વખતે તેની ક્વોલિટી પણ ધ્યાન આપવું હિતાવહ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More