Home> LifeStyle
Advertisement
Prev
Next

હાર્ટ એટેકના આ ઇશારાને ક્યારેય નજરઅંદાજ ન કરો, એલર્ટ રહેશો તો બચી શકે છે જીવ

Heart Attack Risk: હાર્ટ એટેક જીવલેણ સાબિત થઈ શકે છે, તેથી તેના ખતરાને સમય રહેતા ઓળખવો જરૂરી છે. આવો જાણીએ હાર્ટ એટેકથી કઈ રીતે બચી શકાય છે.
 

હાર્ટ એટેકના આ ઇશારાને ક્યારેય નજરઅંદાજ ન કરો, એલર્ટ રહેશો તો બચી શકે છે જીવ

Heart Attack Symptoms: ભારત સહિત દુનિયાભરમાં હાર્ટના દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. હાર્ટ એટેકથી જીવ ગુમાવનારાની સંખ્યા પણ ઓછી નથી. સામાન્ય રીતે ખરાબ જીવનશૈલી અને ખાનપાન તે માટે જવાબદાર છે. જે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈ જાગૃત હોય છે તે રેગુલર એક્સરસાઇઝ અને હેલ્ધી ડાયટ રૂટીન ફોલો કરે છે. તેમ છતાં કોઈ વ્યક્તિએ હાર્ટની બીમારીને હળવાશમાં ન લેવી જોઈએ. સાચી જાણકારી કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકે છે.

fallbacks

કેમ આવે છે હાર્ટ એટેક?
IHBAS હોસ્પિટલ દિલ્હીના પૂર્વ નિવાસી ડો. ઇમરાન અહમદ (Dr. Imran Ahmed) એ જણાવ્યું કે જ્યારે આપણે ઓયલી ફૂડ્સનું સેવન કરીએ અને ફિઝિકલ એક્ટિવિટી પર ધ્યાન ન આપીએ તો આપણી ધમનીઓમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે, જેના કારણે નસોમાં બ્લોકેજ શરૂ થઈ જાય છે. તેવામાં લોહીને હાર્ટ સુધી પહોંચવામાં મહેનત કરવી પડે છે, જેથી બ્લડ પ્રેશર વધે છે અને પછી હાર્ટ એટેક આવી જાય છે. આવો જાણીએ તેના ખતરાને કઈ રીતે ઓળખવો.

2. હ્રદયના ધબકારા અનિયમિત હોવા
જ્યારે નસોમાં અથવા હૃદયની આસપાસ લોહીના ગંઠાવાનું શરૂ થાય છે, ત્યારે હૃદયના ધબકારા અનિયમિત થવા લાગે છે. સામાન્ય રીતે, તંદુરસ્ત પુખ્ત વ્યક્તિનું હૃદય એક મિનિટમાં 70 થી 72 વખત ધબકે છે. જ્યારે તે અનિયમિત થવા લાગે તો સમજી લેવું કે હાર્ટ એટેક દસ્તક આપી શકે છે, તેથી સમયસર સાવધાન રહેવું જરૂરી છે.

2. થાક
હંમેશા લોકોને સતત કામ કરવાથી થાક લાગે છે, પરંતુ જ્યારે તમે ઓછી મહેનત કરો અને થાક જેવું લાગે તો કોઈ ગડબડ જરૂર છે. તેનો મતલબ છે કે નસોમાં બ્લોકેજને કારણે શરીરના ઘણા ભાવમાં લોહી યોગ્ય રીતે પહોંચી રહ્યું નથી અને આ કારણ છે કે એનર્જી જલ્દી ઘટવા લાગે છે અને વ્યક્તિને થાક લાગે છે.

આ પણ વાંચોઃ સવારે જોવા મળતા આ લક્ષણોથી રહો સાવધાન, ડાયાબિટીસ તરફ કરી શકે છે ઇશારો

3. છાતમાં દુખાવો
છાતીમાં દુખાવાના ઘણા કારણ હોઈ શકે છે, જેમાં પેટમાં ગેસ હોવો, કોઈ ચિંતાને કારણે બેચેની સામેલ છે. પરંતુ તે હાર્ટની બીમારી તરફ ઈશારો હોઈ શકે છે. છાતીનો દુખાવો ખભા, હાથ અને પાછળ સુધી ફેલાય છે. જ્યારે પણ આવા લક્ષણો જોવા મળે તો તેને નજરઅંદાજ કર્યાં વગર તપાસ કરાવો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More