in India: શિવ હી સત્ય અને શિવ હી સુંદર હૈ. ભગવાન શિવને પરમ સત્ય માનવામાં આવે છે, જે બ્રહ્માંડનું મૂળ અને કારણ છે. શિવ અને શક્...
12 જ્યોતિર્લિંગ અને 12 રાશિઓ વચ્ચે ખાસ જોડાણ છે. વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરીને વધુ લાભ મેળવી શકે છે. મેષ થી મીન રાશિના લોકો જીવનમાં ધન, સમૃદ્ધિ, સુખ અને શાંતિ મેળવવા માટે જ્યોતિર્લિંગના દર્શન કરી શકે છે. ચાલો જાણીએ કે રાશિ પ્રમાણે કયા જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ફાયદો થઈ શકે છે?
મેષ રાશિનો સંબંધ રામેશ્વર જ્યોતિર્લિંગથી છે. રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરવી લાભકારી માનવામાં આવે છે. આ 12માથી 11મું જ્યોતિર્લિંગ છે, જે તમિલનાડુના રામેશ્વરમમાં સ્થિત છે. અહીં ભગવાન શ્રીરામે લંકા પર વિજય હાસિલ કરતા પહેલા શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં પૂજા કરવાથી શક્તિ, સાહસ, સફળતા અને ઉર્જા પ્રાપ્ત થાય છે.
વૃષભ રાશિ સોમનાથ જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે. ગુજરાતમાં સ્થિત આ જ્યોતિર્લિંગ પ્રથમ ક્રમે આવે છે. તેની સ્થાપના ચંદ્રદેવે પોતે કરી હતી. વૃષભ રાશિના લોકો માટે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા ખૂબ જ ફળદાયી રહેશે. આ જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરવાથી ધન, સમૃદ્ધિ, સુખ અને માનસિક શાંતિ મળે છે.
મિથુન રાશિનો સંબંધ નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે જે 10મા ક્રમે આવે છે. આ રાશિના લોકો માટે અહીં દર્શન કરવા અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં દ્વારકા પાસે આવેલું છે. આને રાહુ ગ્રહનું ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે. માન્યતા અનુસાર, નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજા અને દર્શન કરીને રાહુના દુષ્ટ પ્રભાવોને ઘટાડી શકાય છે.
કર્ક રાશિથી ઓંકારેશ્વર જ્યોતિર્લિંગનો સંબંધ છે. મધ્ય પ્રદેશના નર્મદા નદીના કિનારે ચોથા નંબરનું જ્યોતિર્લિંગ સ્થિત છે. ઓંકારેશ્વર જ્યોતિર્લિંગમાં ભગવાન શિવનું ઓંકાર રૂપ બિરાજમાન છે. તેને બૃહસ્પતિ ગુરૂ ગ્રહનું ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે. કર્ક રાશિના લોકો માટે અહીં દર્શન અને પૂજા કરવી પારિવારિક સુખ, સમૃદ્ધિ અને મનની શાંતિ પ્રાપ્તિ માટે ઓળખવામાં આવે છે.
સિંહ રાશિ માટે ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા લાભકારી માનવામાં આવે છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના વેરૂલ ગામમાં 12મા નંબરનું ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ સ્થિત છે. તેને ધુશ્મેશ્વર નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં દર્શન કરવાથી દરેક પાપોમાંથી મુક્તિ મળે છે. સૂર્ય ગ્રહનું ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે.
બીજા જ્યોતિર્લિંગના રૂપમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે, જેનો સંબંધ કન્યા રાશિ સાથે છે. આંધ્ર પ્રદેશના શ્રીશૈલમમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સ્થિત છે અને બુધ ગ્રહનું ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે. અહીં દર્શન કરવાથી વ્યક્તિને સફળતા મળી શકે છે. બુદ્ધિ, નોકરી અને કારોબાર સાથે જોડાયેલા લાભ થઈ શકે છે. બુધ ગ્રહને મજબૂત કરવા માટે અહીં પૂજા કરવી લાભકારી છે.
ત્રીજા નંબર પર આવનાર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો સંબંધ તુલા રાશિ સાથે છે, જે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત છે. શનિદેવનું ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે. તુલા રાશિના જાતકો માટે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા લાભકારી સાબિત થઈ શકે છે. પૂજા-અર્ચનાથી જ્ઞાન અને ન્યાય પ્રાપ્ત થઈ શકે છે.
વૃશ્ચિક રાશિવાળા માટે બાબા બૈદ્યનાથ જ્યોતિર્લિંગની મુલાકાત ખૂબ જ ફળદાયી બની શકે છે. 9મું બાબા બૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડમાં આવેલું છે. પૂજા કરવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મેળવી શકે છે.
ધનુ રાશિ માટે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. વિશ્વના ભગવાન તરીકે વિરાજમાન વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત છે. તેમના દર્શન અને પૂજા કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત જ્ઞાન અને ધર્મ પણ પ્રાપ્ત થાય છે.
છઠ્ઠા નંબર પર ભીમાશંકર જ્યોતિર્લિંગ આવે છે, જેને મોટેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી પર્વત પર સ્થિત ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરવા મકર રાશિના લોકો માટે લાભકારી માનવામાં આવે છે. મંગળ ગ્રહનું ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે.
કુંભ રાશિના જાતકો માટે કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા લાભકારી માનવામાં આવે છે. પાંચમાં નંબર પર આવનાર કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડના હિમાલયમાં સ્થિત છે. કેદાર રૂપમાં શિવ જી બિરાજમાન છે. કેદારનાથના દર્શનથી રાહુ અને શનિના ખરાબ પ્રકોપથી બચી શકાય છે. જીવનમાં સુખ-શાંતિ રહે છે.
મીન રાશિ માટે ત્રયમ્બકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા શુભ છે. મહામૃત્યુંજય મંત્રથી સંબંધિત આ જ્યોતિર્લિંગ આઠમાં નંબરે આવે છે. મહારાષ્ટ્રમાં સ્થિત ત્રયમ્બકેશ્વર જ્યોતિર્લિંગનો સંબંધ મીન રાશિ સાતે છે. બધા દોષમાંથી મુક્તિ અપાવવા માટે આ જ્યોતિર્લિંગના દર્શન શુભ માનવામાં આવે છે. શુક્ર ગ્રહનું ઉચ્ચ સ્થાન મનાતા આ જ્યોતિર્લિંગના દર્શન જન્મ તથા મરણના ચક્રથી મુક્તિ અપાવી શકે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.