PHOTOS

Corona ના કહેરને કારણે છેલ્લાં 24 કલાકમાં 4 ફિલ્મી હસ્તીઓનું નિધન, શોકમાં સરી પડી ફિલ્મ ઈંડસ્ટ્રી

Celebrities Died Due To Coronavirus in India: દેશના દરેક ભાગમાં હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતા વધારે ઘાતક સાબિત થઈ રહી છે.

Advertisement
1/5
ફિલ્મ જગત માટે ખરાબ સમાચારઃ
ફિલ્મ જગત માટે ખરાબ સમાચારઃ

કોરોનાના સંક્રમણને કારણે છેલ્લાં 24 કલાકમાં એક બાદ એક ફિલ્મી હસ્તીઓની મોતની ખબર સામે આવી રહી છે. છેલ્લાં 24 કલાકમાં ફિલ્મ જગતની 4 હસ્તીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

 

2/5
સાઉથના આ કલાકાર હવે નથી રહ્યાં:
સાઉથના આ કલાકાર હવે નથી રહ્યાં:

સાઉથની ફિલ્મોમાં અદભુત અદાકારી કરનારા એક્ટર પાંડુ નું કોરોનાના કારણે 74 વર્ષની વયે નિધન થયું છે. એક્ટર માનોબાલાએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમના નિધનથી સાઉથ ફિલ્મ જગત ઘેરા શોકમાં છે.

Banner Image
3/5
શ્રીપ્રદાનું નિધનઃ
શ્રીપ્રદાનું નિધનઃ

ફિલ્મો અને ટીવી સીરિયલમાં દમદાર અભિનય કરનાર શ્રીપ્રદા (Shripadha) નું પણ કોરોનાને કારણે નિધન થયું છે. સિને એન્ડ ટીવી સીરિયલ આર્ટિસ્ટ અસોસિએશન (CINTAA) ના જનરલ સેક્રેટરી અમિત બહલે આ અંગેની પુષ્ટિ કરી હતી. શ્રીપ્રદા વિનોદખન્ના, ધર્મેન્દ્ર, ગોવિંદા અને ગુલશન ગ્રોવર જેવા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

4/5
અભિલાષા પાટિલનું નિધનઃ
અભિલાષા પાટિલનું નિધનઃ

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની ફિલ્મ છીછોરે (Chhichhore) ની કો-સ્ટાર અભિલાષા પાટિલ (Abhilasha Patil) નું કોરોનાને કારણે નિધન થયું છે. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.  

5/5
અજય શર્માનું નિધનઃ
અજય શર્માનું નિધનઃ

જાણીતા ફિલ્મ એડિટર અજય શર્મા (Ajay Sharma) નું પણ કોરોના વાયરસના સંક્રમણને કારણે નિધન થયું છે. દિલ્લીની સરકારી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. અજયે લૂડો, જગ્ગા જાસૂસ, બર્ફી, કાઈ પો છે, યે જવાની હૈ દીવાની, સંખ્યાબંધ હીટ ફિલ્મો એડિટ કરી હતી.





Read More