Ram Mandir: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમયે દરેકની નજર ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા પર છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં અન્ય જગ્યાઓએ પણ રામ મંદિરો આવેલા છે? આ રામ મંદિરો વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ દરેક મંદિરનો પોતાનો આગવો ઇતિહાસ અને મહત્વ છે. તો ચાલો આજે તમને જણાવીએ ભારતમાં આવેલા ખાસ રામ મંદિરો વિશે.
મુખ્યત્વે શિવ મંદિર હોવા છતાં તેલંગાણાના પાલમપેટમાં આવેલું રામપ્પા મંદિર ભગવાન રામને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય અને કાકતીય વંશ સાથેનું કનેકશન તેને ઇતિહાસ પ્રેમીઓ અને રામ ભક્તો માટે ખાસ સ્થળ બનાવે છે.
વારાણસી ભારતની આધ્યાત્મિક નગરી છે. અહીં રામનગર કિલા મંદિર આવેલું છે. 18મી સદીમાં બનારસના મહારાજા દ્વારા આ મંદિર બાંધવામાં આવેલું છે.
જમ્મુમાં એક ટેકરી પર આવેલું રઘુનાથ મંદિર ભગવાન રામને સમર્પિત પ્રાચીન મંદિર છે. જમ્મુ ફરવા આવતા લોકો આ મંદિરની મુલાકાતે પણ અચૂક આવે છે. અહીં આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે.
ઐતિહાસિક શહેર ઓરછામાં સ્થિત રામ મંદિર ભવ્ય સ્થાપત્ય કલા અને કોતરણીનું ઉદાહરણ છે. બુંદેલા રાજપૂતોના શાસનકાળ દરમિયાન 16મી સદીમાં આ મંદિર બંધાયેલું છે.
વિજયનગરમ નજીક સ્થિત રામતીર્થમ્ ભગવાન રામનું પ્રાચીન મંદિર છે. મંદિર 17મી સદી દરમિયાન બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
કાનપુરના મધ્યમાં આવેલ રામજી મંદિર એક પૌરાણિક મંદિર છે, જે શહેરના ઔદ્યોગિકીકરણની પૂર્વેનું છે. ભક્તો આ મંદિરમાં પ્રભુના આશીર્વાદ અને આધ્યાત્મિક શાંતિની શોધમાં આવે છે.