PHOTOS

Ahmedabad Plane Crash: વિજય રૂપાણીની સીટ જેમને મળી હતી તે અર્જુન પટોળિયાની કહાની તમને રડાવી દેશે, 18 દિવસની અંદર પત્ની બાદ પતિનું પણ મોત

ન્ડિયાની લંડન જતી  ફ્લાઈટ મેઘાણીનગરમાં તૂટી પડી અને તેમાં સવાર 242માથી 241 મુસાફરો સહિત 270થી વધુ લોકો મોતને ભેટ્યા જેમાં મૂળ અમરે...

Advertisement
1/5
અમરેલીનો યુવક પહોંચ્યો લંડન
અમરેલીનો યુવક પહોંચ્યો લંડન

મૂળ અમરેલીના વાડિયા ગામમાં જન્મેલો યુવક બાળપણમાં જ પિતાનો છાયો ગુમાવતા જવાબદારીનો ભાર છતાં ભણવા માટે લંડન પહોંચ્યા. અર્જુન ત્યારબાદ જો કે સુરતમાં સ્થાયી થયા હતા. કતાર ગામમાં પણ તેમનું ઘર છે. તેઓ બે ભાઈઓ છે. સદ્ધર થયા બાદ તેમણે ભાઈ ગોપાલને પણ લંડન બોલાવી લીધા હતા. લંડનમાં કચ્છી યુવતી ભારતીના પ્રેમમાં પડ્યા અને લગ્નના તાંતણે બંધાયા. પ્રેમની નિશાની જેવી બે વ્હાલીસોયી દીકરીઓ સાથે સંસાર એકદમ સરસ ચાલતો હતો. અર્જુન 17 વર્ષથી લંડનમાં રહેતા હતા અને બ્રિટિશ નાગરિક હતા. અર્જુન મૂળ કાઠિયાવાડી અને પત્ની ભારતી કચ્છી ગુજરાતી હતા.   

2/5

ટૂંકા લગ્નજીવનમાં બે પુત્રીઓના પિતા બન્યા. એક પુત્રી 8 વર્ષની અને બીજી 4 વર્ષની છે જે હાલ લંડનમાં છે. અર્જુનના માતા અને ભાઈ ડભોલીમાં રહેતા હતા. જો કે અર્જુનના ભાઈ ગોપાલ પણ બે વર્ષ પહેલા લંડન આવી ગયા. 

Banner Image
3/5
મે મહિનામાં પત્નીનું અવસાન
મે મહિનામાં પત્નીનું અવસાન

ખુશખુશાલ લગ્ન જીવનને જાણે કોઈની નજર લાગી ગઈ કારણ કે ચાર વર્ષ પહેલા ભારતીબેનને કેન્સર થયાનું સામે આવ્યું હતું. અનેક સારવાર છતાં તેમણે 26 મેના રોજ દુનિયાને અલવિદા કરી. ભારતીબેનની ઈચ્છા હતી કે તેમના અસ્થિનું વિસર્જન નર્મદા નદીમાં થાય. એટલે ક્રિયાઓ પતાવ્યા બાદ અર્જૂન દીકરીઓને લંડનમાં જ ભાઈને ત્યાં મૂકીને અસ્થિ વિસર્જન માટે 2 જૂનના રોજ માદરે વતન આવ્યા હતા. પરત ફરતી વખતે કાળનો ભોગ બન્યા. જો કે અર્જુનના માતા કંચનબેને કહ્યું કે પુત્રનું મોત થયું છે તેમની બંને દીકરીઓની જવાબદારી હું અને મારો નાનો દીકરો ઉઠાવીશું. અત્રે જણાવવાનું કે નાના ભાઈ ગોપાલના ત્યાં લગ્નના 8 વર્ષ બાદ પણ કોઈ સંતાન નથી. 

4/5
વિજય રૂપાણીની સીટ ફાળે આવી
વિજય રૂપાણીની સીટ ફાળે આવી

વાત જાણે એમ બની કે વિજય રૂપાણી જ્યારે પણ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા ત્યારે ઈમરજન્સી એક્ઝિટ જ્યાં હોય છે તે લાઈનની સીટ પસંદ કરતા કારણ કે ત્યાં બેસવાથી પગ પહોળા કરવા માટે બરાબર જગ્યા મળી રહે. આ વખતે પણ તેમની સીટ કઈક એવી જ હતી. તેમને મૂળતો સીટ 11G મળી હતી. અત્રે જણાવવાનું કે આ સીટની બરાબર સામેની બાજુ એકમાત્ર બચી ગયેલા યાત્રી વિશ્વાસ રમેશની સીટ 11A હતી. એટલેકે ડાબી બાજુ વિશ્વાસની સીટ અને જમણી બાજુ રૂપાણીની સીટ હતી. જો કે પછી તેમની સીટ બિઝનેસ ક્લાસમાં ફાળવવામાં આવી હતી અને આ સીટ અર્જુન પટોળિયાને મળી હતી. 

5/5
બે દીકરીઓ લંડનમાં
બે દીકરીઓ લંડનમાં

અર્જુનના ડીએનએ પણ માતાના ડીએનએ સાથે મેચ થઈ જતા મૃતદેહ પરિવારને સોંપી દેવાયો અને 16મીએ તેમના અંતિમ સંસ્કાર કરી દેવાયા. પરંતુ બે  દીકરીઓના ભવિષ્ય અંગે પરિવાર ચિંતામાં છે. મળતી માહિતી મુજબ ત્યાં રહેતા ગુજરાતીઓએ આ પરિવારની દીકરીઓ માટે માત્ર 3 દિવસમાં 5.69 લાખ પાઉન્ડ (અંદાજિત 6 કરોડ 65 લાખ રૂપિયા) ભેગા કર્યા. અર્જુન લંડનમાં જેમના ત્યાં કામ કરતા હતા તે ફર્નિચર કંપનીના માલિક વિનોદ ખીમજીને વિચાર આવ્યા બાદ ફંડ ભેગુ કરવા માટે અપીલ કરાઈ હતી. તેઓ પણ આ પરિવારને સારો એવો સપોર્ટ કરી રહ્યા છે. દીકરીઓને પિતાએ અનંતની વાત પકડી એ ખબર નથી. દીકરીઓ માટે ફંડ ભેગુ કરવાની અપીલ કરાઈ અને લંડનમાં પ્રાર્થના સભા પણ યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં ત્યાં વસતા ગુજરાતીઓ ભેગા થયા હતા. દીકરીઓ માટે 13 હજારથી વધુ લોકોએ આર્થિક મદદ કરી. હાલ આ દીકરીઓ તેમની માસીની પાસે છે. 





Read More