PHOTOS

Air Pollution: અમદાવાદની હવામાં ફેલાયુ 'ઝેર', આ ઘરેલુ ઉપાયથી પોતાને રાખો સુરક્ષિત

Air Quality Index: આજે દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાની ફરજ પડી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સરકારને તેને ઘટાડવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે.
 

Advertisement
1/10
અમદાવાદમાં વાયુ પ્રદૂષણ
અમદાવાદમાં વાયુ પ્રદૂષણ

દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. અમદાવાદમાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. રખિયાલ, નવરંગપુરા, પીરાણા અને રાયખડમાં AQI 200ને પાર પહોંચ્યો છે. અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 125 નોંધાયો છે. 

2/10
આદુ પાણી
આદુ પાણી

આદુને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરની અંદર જમા થયેલ કફ સરળતાથી દૂર થઈ જાય છે અને આ ઋતુમાં ફાયદાકારક છે.

Banner Image
3/10
મધ
મધ

મધ ખાવાથી પ્રદૂષણ દૂર થાય છે. મધ ખાવાથી ફેફસાં અને શ્વસન માર્ગનો સોજો પણ દૂર થાય છે.

4/10
ગોળ
ગોળ

ગોળનું સેવન પ્રદૂષણની અસરોથી બચવામાં મદદરૂપ થઈ શકે છે. કારણ કે, ગોળ શરીરની અંદર રહેલા કણો અને ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે.

5/10
તુલસીનો છોડ
તુલસીનો છોડ

તુલસીનો ઉપયોગ અનેક પ્રકારના રોગોની સારવારમાં થાય છે. આ ઋતુમાં પ્રદૂષણની અસરથી બચવા માટે દરરોજ તુલસીના પાનનું પાણી પીવો.

6/10
હળદર અને દૂધ
હળદર અને દૂધ

ગરમ દૂધમાં હળદર ઉમેરીને દરરોજ પીવો. આમ કરવાથી ફેફસામાં રહેલા ધૂળના કણોને સરળતાથી દૂર કરી શકાય છે.

7/10
એન્ટી-ઇંફ્લામેટરી ફૂડ
એન્ટી-ઇંફ્લામેટરી ફૂડ

પ્રદૂષણ દરમિયાન ફેફસામાં ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે. આવા ચેપને દૂર કરવા માટે, તમે ઘણા એન્ટી-ઇંફ્લામેટરી ફૂડનું સેવન કરી શકો છો. જેમ કે- અખરોટ, બ્રોકોલી, ચેરી, ઓલિવ, ગ્રીન ટી વગેરે.

8/10
મધ અને કાળા મરી
મધ અને કાળા મરી

જો તમે ફેફસામાંથી જામેલા કફ અને ગંદકીને દૂર કરવા માંગો છો તો કાળા મરીને મધમાં ભેળવીને ખાઓ. તેને રોજ ખાવાથી શરીરમાંથી ગંદકી દૂર કરવામાં સરળતા રહે છે.

9/10
સ્ટીમ
સ્ટીમ

ધુમ્મસના કણો શ્વસન માર્ગમાં અટવાઈ જાય છે. તેનાથી બચવા માટે સ્ટીમ થેરાપી ખૂબ જ ઉપયોગી છે. સ્ટીમમાં હાજર સ્ટીમ કણો તમારી શ્વાસનળીને આરામ આપે છે, જે કફને દૂર કરે છે અને રાહત આપે છે.

10/10




Read More