: અમદાવાદ એરપોર્ટ ખાતેથી લંડન માટે રવાના થયેલી ફ્લાઈટ ક્રેશ થઈ જતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. હવાઈ મુસાફરી દરમિયાન ખૂબ જ તકેદા...
જે લોકો પ્લેનમાં મુસાફરી કરતા હોય તેમણે વધારે પાવરની પાવરબેન્ક સાથે રાખવી નહીં. પાવર બેન્ક સાથે રાખવી સુરક્ષિત નથી. તેનાથી પ્લેનમા આગ લાગવાની ઘટના બની શકે છે.
એર પ્લેનમાં ઈ સિગારેટ કે વેપ લઈને પણ ન જવું જોઈએ. ઈ સિગારેટમાં નિકોટિન અને લિથિયમ બેટરી હોય છે જેનાથી પણ આગ લાગવાનું જોખમ રહે છે. પ્લેનમાં આ વસ્તુઓનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે.
લેઝર પોઈન્ટર્સ અને લેઝર પેન જેવી વસ્તુઓ પણ સાથે રાખવી ખતરનાક સાબિત થઈ શકે છે. લેઝર પોઈન્ટર્સ પાયલોટને નુકસાન કરી શકે છે. જેનાથી અન્ય પ્રવાસીઓનો જીવ પણ જોખમમાં પડી શકે છે.
પોર્ટેબલ વાઈ ફાઈ કે હોટસ્પોટ પણ ફ્લાઈટમાં સાથે રાખવા નહીં. તેનાથી ઈંટરનેટનો ઉપયોગ થઈ શકે છે પરંતુ આ ડિવાઈસ એરપોર્ટના વાયરલેસ નેટવર્ક અને નેવિગેશન સિસ્ટમને અસર કરી શકે છે.