el Prediction On Politics: આમ તો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ હવામાન અંગેની સચોટ આગાહીઓ માટે જાણીતા છે. વરસાદથી લઈને વાવાઝોડા ...
Ambalal Prediction: ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલ ફરી એકવાર ચર્ચામાં છે. કારણ કે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કેન્દ્રીય રાજનીતિમાં મોટા પરિવર્તનની શક્યતા વ્યક્ત કરી હતી. તમને યાદ અપાવી દઈએ કે અંબાલાલ પટેલે થોડા સમય પહેલા આગાહી કરી હતી કે 5 ગ્રહો એકત્રિત થવાના કારણે 19 મે પહેલા આસુરી તત્વોનો ઉદય થવાની શક્યતાઓ રહેશે. જેનાથી આતંકવાદી પ્રવૃત્તિ વધે. ભારતીય સીમાઓ સાચવવી પડે તેવી નોબત આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સંભાળવું પડશે. ખરેખર આ આગાહી સાચી પડતી લાગી રહી છે.
દેશ અને ગુજરાતમાં રાજકારણની દ્રષ્ટિએ આગામી સમય કેવો રહેશે તેના સંકેત અંબાલાલ પટેલે થોડાક મહિનાઓ પહેલા જ આપી દીધા હતા. ગ્રહોની સ્થિતિ અનુસાર આ આગાહી કરાઈ હતી. ગ્રહો અને નક્ષત્રોની ચાલ જોઈને તેઓ રાજકારણમાં કેવી હલચલ થશે તેની ભવિષ્યવાણી કરી હતી. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના જીવ જતા રહ્યા છે, ત્યારે અંબાલાલની એ આગાહી યાદ આવી રહી છે. અંબાલાલે કહ્યું હતું કે આતંકવાદી પ્રવૃતિઓ વધે, જે હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે.
બીજી બાજુ તેમણે કહ્યું હતું કે ભારતીય સીમાઓ સાચવવી પડે, તો હાલ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરી રહ્યું છે, જેનો ભારતે મુંહતોડ જવાબ આપ્યો છે. આ સ્થિતિને જોતા ખરેખર તેમની એ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ રહી છે.
એટલું જ નહીં, હાલ પાકિસ્તાનની હરકતોથી ભારત સરકાર એક્શન મોડમાં આવી ગયું છે. તો જોતા અંબાલાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સંભાળવું પડશે, એ વાત પણ સાચી સાબિત થઈ છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરકારમાં સ્થિરતા રહેશે, પરંતુ તેમાં કઈ નવીનતમ સુધારા આવી શકે છે. 29 માર્ચ થી 19મી મે વચ્ચે કેન્દ્ર સરકારમાં પણ સ્થિરતા રહેશે. પણ કંઈ નવાજૂની બની શકે છે. આ આગાહીના પગલે હાલ ભારતમાં જે હાલ બની રહ્યા છે, તે જોતા એવું ચોક્કસ લાગે છે કે ભારત કઈક નવાજૂની કરવાના મૂડમાં છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, 5 ગ્રહો એકત્રિત થવાના કારણે 19 મે પહેલા આસુરી તત્વોનો ઉદય થવાની શક્યતાઓ રહેશે. જેનાથી આતંકવાદી પ્રવૃત્તિ વધે. ભારતીય સીમાઓ સાચવવી પડે તેવી નોબત આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સંભાળવું રહ્યું.
ગ્રહોની સ્થિતિ જોઈને અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે મીનનો શનિ છે એટલે 15 જૂન પેહલા ભારે પવનના તોફાનો, ભારે આંધી વંટોળ, દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેશે. લગભગ 10 મેં બાદ કાચા મકાનના છાપરાઓ ઉડે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં કાચા મકાનના પતરા ઉડશે. 25 એપ્રિલથી હવાનું દબાણ ઘટશે.
હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં બદલાતા મોસમ બદલાઈ રહ્યા છે. વાવાઝોડોનો ખતરો મંડરાઈ રહ્યો છે, કાળઝાળ ગરમી પડી રહી છે. આ અંગે અંબાલાલ પટેલે અગાઉથી ખેડૂતોને સલાહ આપતા જણાવી દીધું હતું કે, પવનની ગતિના કારણે અંબાની કેરીના પાક ઉપર અસર થઈ શકે છે.
ધાન્ય પાકો ઉપર જો જમીન પોચી હશે અને પિયત કરવી હશે પાકો પડી જવાની પણ શક્યતાઓ રહેશે. આ વખતે મે માસમાં બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતાઓ રહેશે. 10 મી મેથી અને 15 જૂન પહેલા અરબી સમુદ્રમાં પણ ચક્રવાત થવાની શક્યતાઓ રહેશે. આ વર્ષે 15 જૂન પહેલા તો મીન રાશિના શનિના કારણે પવનની ગતિ વધુ રહેશે.