્ર અનુસાર મૂળાંક 6ના જાતકોની સાથે માતા લક્ષ્મી હંમેશા રહે છે. આવો જાણીએ આખરે આ મૂળાંકના લોકોની તિજો...
અંક જ્યોતિષ અનુસાર જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 6, 15 કે 24 તારીખે થાય છે તેનો મૂળાંક 6 હોય છે. આ મૂળાંકના જાતકો પર માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે, તેવી માન્યતા છે.
આ મૂળાકના સ્વામી શુક્ર ગ્રહ છે, જે પ્રેમ, ધન, સૌંદર્યના કારક માનવામાં આવે છે. સાથે આ મૂળાંક માતા લક્ષ્મીનો પ્રિય માનવામાં આવે છે. તેવામાં આ જાતકો પાસે ક્યારેય ધન-સંપત્તિની કમી રહેતી નથી.
મૂળાંક 6ના જાતકો જુસ્સાથી ભરપૂર અને ઈમાનદાર હોય છે. તેના પર આર્થિક સંકટ આવે તો પણ નાણાની વ્યવસ્થા થઈ જાય છે. તેનું પર્સ ક્યારેય ખાલી રહેતું નથી.
આ અંકના લોકો રચનાત્મક હોય છે અને ખૂબ પ્રસિદ્ધિ મેળવે છે. કળા, સંગીત, ફેશનની દુનિયામાં પોતાનું વર્ચસ્વ મેળવે છે અને ખૂબ પ્રગતિ કરે છે.
શુક્રનો પ્રભાવ હોવાથી મૂળાંક 6ના લોકો રોમેન્ટિક સ્વભાવના હોય છે. સાથે તેની વાતોથી લોકો પ્રભાવિત અને આકર્ષિત થાય છે.
આ લોકો સામાન્ય રીતે હસમુખ, મિલનસાર અને બીજા પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર હોય છે. પૈસા હોય છે પરંતુ અભિમાન કરતા નથી.