Agarbatti Vastu Tips: દરેક ઘરમાં અગરબત્તી જરૂર કરવામાં આવે છે. ઘરમાં પૂજા-પાઠ દરમિયાન અગરબત્તી સળગાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સપ્તાહના આ બે દિવસ અગરબત્તી સળગાવવા પર ઘરમાં કંગાળી આવે છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.
વાસ્તુ શાસ્ત્રમાં અગરબત્તી સળગાવવાના ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે. માન્યતા છે કે જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો દુર્ભાગ્ય આવી જાય છે. શાસ્ત્ર અનુસાર સપ્તાહમાં બે દિવસ એવા હોય છે, જેમાં અગરબત્તી સળગાવવી જોઈએ નહીં.
હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું વિશેષ મહત્વ છે. દરેક વ્યક્તિ ભગવાનની પૂજા કરવા માટે અગરબત્તી સળગાવે છે. માન્યતા છે કે અગરબત્તી સળગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર સપ્તાહમાં બે દિવસ એવા હોય છે, જ્યારે અગરબત્તી સળગાવવી જોઈએ નહીં.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર રવિવાર અને મંગળવારે અગરબત્તી ન સળગાવવી જોઈએ. કારણ કે અગરબત્તી બનાવવામાં વાંસનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બે દિવસ વાંસને સળગાવવું ખુબ અશુભ માનવામાં આવે છે. આ બે દિવસ અગરબત્તી ન સળગાવવી જોઈએ. જાણો તેના કારણ...
શાસ્ત્રમાં વાંસને ખુબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં વાંસનો છોડ હોય છે તે ઘરમાં કંગાળી આવતી નથી. જો તમે વાંસથી બનાવેલી અગરબત્તી સગળાવો છો તો ઘરમાં નકારાત્મકતા વધે છે. જેનાથી ઘરની સુખ-શાંતિ ભંગ થાય છે.
આમ તો વાંસનો છોડ લકી માનવામાં આવે છે પરંતુ વાંસથી બનેલી અગરબત્તી સળગાવવાથી માનસિક અને આર્થિક નુકસાન થાય છે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે તણાવ રહે છે. તેથી તમારે અગરબત્તી સગળાવતા પહેલા આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે.
વાસ્તુ શાસ્ત્રમાં વાંસનેવંશનું પ્રતીક માનવામાં આવે છે. તેથી તેને સળગાવવાથી ભાગ્ય અને વંશ હાનિ થાય છે. આ સિવાય હિન્દુ ધર્મમાં વાંસનો ઉપયોગ અર્થી બનાવવામાં પણ કરવામાં આવે છે. તેથી વાંસથી બનેલી અગરબત્તી સળગાવવાની ના પાડવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં માંગલિક કાર્ય દરમિયાન વાંસનો મંડપ તૈયાર કરવામાં આવે છે. તેથી હિન્દુ ધર્મમાં વાંસથી બનેલી અગરબત્તીઓ સળગાવવી શુભ મનાતી નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન અગરબત્તીની જગ્યાએ ધૂપનો ઉપયોગ કરી શકાય છે.