મય દરમિયાન બીમારીઓ ઝડપથી ફેલાતી હોય છે. તેથી જ ચોમાસામાં જંકફુડ સહિતની અનહેલ્ધી વસ્તુઓની સાથે કેટલાક શાકભાજી ખાવાનું પણ છોડી દેવું જોઈએ...
ચોમાસામાં લીલા શાકભાજી ઓછા ખાવા જોઈએ. તેમાં પણ મેથી, પાલક જેવી ભાજી ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આવા પાનમાં નાના-નાના કીડા હોય છે જે તબીયત બગાડે છે.
કોબી પણ ચોમાસા દરમિયાન ખાવાનું બંધ કરવું જોઈએ. કારણ કે તેમાં પણ ચોમાસામાં કીડા પડી જતા હોય છે.
ચોમાસામાં મશરુમ ખાવાથી બચવું. કારણ કે મશરુમ ખાવાથી ઈન્ફેરશન થવાનું જોખમ રહે છે. સાથે જ પેટમાં દુખાવો પણ થઈ શકે છે.
ચોમાસામાં ફ્લાવર ખાવાનું પણ ટાળવું જોઈએ. તેમાં પણ નરી આંખે ન જોઈ શકાય તેવા જંતુ થઈ જતા હોય છે.
ચોમાસામાં રીંગણ ખાવાથી બચવું. કારણ કે વરસાદના કારણે રીંગણ પણ સડી જતા હોય છે જે પેટમાં સમસ્યા કરી શકે છે.